બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:03 AM, 28 September 2025
તમિલનાડુના કરૂર જિલ્લામાં શનિવારે એક્ટર તથા ટીવીકેના નેતા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભારે ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં 36 લોકોનાં મોત થયા છે, જેમાં 8 બાળકો અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હાલ ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ADVERTISEMENT
இதயம் நொறுங்கிப் போய் இருக்கிறேன்; தாங்க முடியாத, வார்த்தைகளால் சொல்ல முடியாத வேதனையிலும் துயரத்திலும் உழன்று கொண்டிருக்கிறேன்.
— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2025
கரூரில் உயிரிழந்த எனதருமை சகோதர சகோதரிகளின் குடும்பங்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்களையும், இரங்கலையும் தெரிவித்துக்கொள்கிறேன். மருத்துவமனையில் சிகிச்சை…
આ ઘટનાને લઈને એક્ટર વિજયે સોશિયલ મીડિયા પર પોતાના દિલના દુઃખને વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય પીડા અને શોકમાં તડપી રહ્યો છું, જેને શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી. વિજયે આગળ લખ્યું કે, કરૂરની આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારજનોને હું હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરેક વ્યક્તિના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
ADVERTISEMENT

આ દુર્ઘટના વેલુસામીપુરમ વિસ્તારમાં સાંજે લગભગ 7:20 વાગ્યે બની હતી. રેલી દરમિયાન ભીડ અચાનક વધી ગઈ હતી અને તે ભાગદોડમાં ફેરવાઈ ગઈ.
ADVERTISEMENT
રાજ્ય સરકાર પણ ઘટનાને લઈને સતર્ક બની ગઈ છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને જાહેરાત કરી છે કે મૃત્યુ પામેલા દરેકના પરિવારને ₹10 લાખનું વળતર આપવામાં આવશે, જ્યારે ઘાયલ લોકોને ₹1 લાખની સહાય આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.