બ્રેકિંગ ન્યુઝ
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
VTV / ગુજરાત / અમદાવાદ / માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ આવ્યા, જુઓ શું કહે છે એનાલિસિસિના આંકડા
Last Updated: 01:28 PM, 30 April 2024
અમદાવાદ: ઉનાળો ચાલી રહ્યો છે, રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સૂર્યનારાયણનાં તાપથી લોકો રેબઝેબ થઈ રહ્યાં છે. રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી ગરમી પડવાની આગાહી કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહ્યો છે. હજુ વધુ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં માત્ર 26 દિવસમાં જ 108 એમ્બ્યુલન્સને હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ્સ મળ્યા.
ADVERTISEMENT
આપણે સમજીએ છીએ કે જયારે તાપ સૌથી વધુ હોય, એટલે કે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હીટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. પણ 108ની ટીમે તેમને આવતા કોલ્સ પરથી એક એનાલિસીસ કર્યું છે. પણ આ એનાલિસીસમાં જે વાત સામે આવી છે એ જાણીને નવાઈ લાગશે. 108ની ટીમના એનાલિસીસ પ્રમાણે આખા દિવસમાં સાંજે 6 વાગે સૌથી વધુ 50 કેસ નોંધાયા, જયારે સવારે 8 વાગે 41 અને સાંજે 8 વાગે 37 કેસ નોંધાયા અને રાતે 10 વાગે 34 કેસ આવ્યા. પરંતુ સવારે 10 વાગે 33 કેસ નોંધાયા જયારે બપોરે 12 વાગે 34 કેસ, 2 વાગે 27 કેસ અને 4 વાગ્યે 24 કેસ નોંધાયા.
108 એમ્બ્યુલન્સને મળેલા હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કેસમાંથી 235 કેસ હાઈગ્રેડ ફીવરના હતા. જયારે પેટનો દુખાવો અને ઝાડા-ઊલટીના 12 કેસ અને ડીહાઈડ્રેશનના 11 કેસ આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: ગરમ હવાઓ ફૂંકાશે, આ જિલ્લાવાળા ત્રાસી જશે, હવામાન વિભાગે કરી અકળાવતી આગાહી
એમ તો સાંજ પછી તાપમાન ઘટી જતું હોય છે અને તાપમાન 34 ડિગ્રીની આસપાસ હોય છે. પરંતુ સાંજે કેસ વધારે આવવાનું કારણ એ છે કે વ્યક્તિ દિવસ દરમિયાન ગરમીમાં વધારે ફર્યું હોય એની અસર સાંજે થતી હોય છે. માહિતી અનુસાર ઘણા લોકોને ગરમીમાં ફર્યા પછી તેની અસર 1-2 દિવસ રહીને પણ થતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT