બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / 2 policemen and 1 doctor commit suicide: Why are educated youth losing patience? Reason warning
Last Updated: 10:11 PM, 20 March 2024
ADVERTISEMENT
શિસ્ત જેની ઓળખ છે એ વિભાગ ચર્ચામાં છે અને એ પણ વિવાદીત કારણોથી. વાત થઈ રહી છે રાજ્યના સંનિષ્ઠ એવા પોલીસ વિભાગની. છેલ્લા કેટલાક સમયથી એવા બનાવ સામે આવ્યા જેમાં ભોગ બનનારની પીડા પાછળ પોલીસકર્મી જવાબદાર હોય અથવા તો પોલીસકર્મી પોતે જ પીડિત હોય. તાજેતરના જ બનાવ પોલીસ વિભાગની ઈમેજ સામે સવાલ ઉભા કરનારા છે, પછી એ મહિલા તબીબ વૈશાલી જોષીનો આપઘાત કેસ હોય કે જેમાં સુસાઈડ નોટમાં PI બી.કે.ખાચરનું નામ લખવામાં આવ્યું હોય, તો બીજી તરફ સુરતનો જ બે દિવસ પહેલાનો મહિલા કોન્સ્ટેબલ હર્ષિના ચૌધરીનો આપઘાત કેસ છે કે જેમાં મહિલાએ આપઘાત પાછળ પોતાના જ સાથી પોલીસકર્મી સાથેના સંબંધમાં દગાને કારણભૂત ગણાવ્યો છે. આ તો તાજેતરના કિસ્સા થયા કે જેમાં પોલીસકર્મી પણ ભોગ બનવાની સ્થિતિમાં છે. ભૂતકાળમાં એવા પણ કિસ્સા છે કે જેમાં પોલીસકર્મી ખાખી વર્દીને દાગ લગાવે એવી ભૂમિકામાં હોય. સસ્પેન્ડેડ PSI તરલ ભટ્ટ તોડકાંડ કેસ હોય કે પછી જૂનાગઢના હર્ષિલ જાધવના અપમૃત્યુ કેસમાં જવાબદાર પોલીસકર્મી હોય. આવા બધા કેસ એક સામાન્ય સવાલ પૂછવા મજબૂર કરે છે કે શિસ્તમાં રહેતું પોલીસદળ વિવાદીત કારણોસર ચર્ચામાં કેમ આવે છે. એવું શું અજુગતુ બને છે કે પોલીસકર્મી કાં તો આપઘાત કરે, કાં તો અનૈતિક આચરણ કરે અથવા તો પોલીસકર્મીના લીધે કોઈ વ્યક્તિ કે પરિવાર ભોગ બને અને તેના પર આભ તૂટી પડે. આવી સ્થિતિ, આવા બનાવ છેલ્લા થોડા દિવસોમાં કેમ વધ્યા
.png)
ADVERTISEMENT
તાજેતરના બનાવ ચર્ચામાં
18 માર્ચ
ADVERTISEMENT
સુરત
મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો
મહિલાને અન્ય પોલીસકર્મી સાથે સંબંધ હતા
ADVERTISEMENT
6 માર્ચ
અમદાવાદ
મહિલા તબીબનો ક્રાઈમબ્રાંચની કચેરીમાં જઈ આપઘાત
આપઘાત પાછળ PI સાથેનો પ્રેમસંબંધ કારણભૂત
ADVERTISEMENT
1 માર્ચ
અમદાવાદ
મહિલા પોલીસકર્મીનો આપઘાત
મહિલાએ પોતાના પરિણીત પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યો
બાદમાં મહિલાના પ્રેમીએ પણ કર્યો આપઘાત
ADVERTISEMENT
તાજેતરના બનાવ શું સંકેત આપે છે?
તાજેતરમાં 3 એવા બનાવ બન્યા જેમાં મહિલાએ આપઘાત કર્યો હોય. મહિલાના આપઘાત પાછળ પ્રેમસંબંધ જવાબદાર હતો. પ્રેમસંબંધમાં થતી માનસિક પ્રતાડના જવાબદાર હતી
આપઘાત કરનાર બે મહિલા પોલીસકર્મી હતી. સુરત અને અમદાવાદમાં મહિલા પોલીસકર્મીને તેના જ સહકર્મી સાથે સંબંધ હતા. સુરતની હર્ષિનાએ અન્ય પોલીસકર્મી સાથેના સંબંધથી કંટાળીને આપઘાત કર્યો.સુરતની મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટમાં સંબંધમાં દગો અનુભવ્યાનું લખ્યું. અમદાવાદની પાલડીની મહિલા કોન્સ્ટેબલે પરિણીત પુરૂષ સાથેના સંબંધમાં આપઘાત કર્યો. તાજેતરમાં મહિલા તબીબ ડૉ.વૈશાલીના આપઘાતમાં પણ પોલીસકર્મીનું નામ આવ્યું. ક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં PI બી.કે.ખાચર ફરજ બજાવતા હતા. બી.કે.ખાચર અને વૈશાલી જોષીને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો.છેલ્લા ઘણા વર્ષથી બંને પ્રેમસંબંધમાં હતા. છેલ્લા છ મહિનાથી PI ખાચરે સંબંધ તોડી નાંખ્યા હતા. તમામ બનાવમાં અજુગતા બનાવ પાછળ કોમન કડી પોલીસકર્મી છે. ભોગ બનનાર અથવા તો દુષ્પ્રેરણા માટે જવાબદાર પોલીસકર્મી છે.
વિવાદને કારણે ખાખી ચર્ચામાં!
2023
2023
2022
2021
2019
2018
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.