બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Zika Virus Symptoms And Treatment
Kavan
Last Updated: 04:01 PM, 1 November 2021
એક તરફ કોરોના સંકટ ઘટ્યું છે ઝીકા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને નિષ્ણાંતોના મતે આ વાયરસ ખૂબ જ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
શું છે ઝીકા વાયરસ ?
નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, ઝીકા વાયરસ એક મચ્છજન્ય બિમારી છે. જે એડીઝ નામના મચ્છરથી ફેલાય છે. મચ્છરની આ પ્રજાતિ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનું પણ કારણ બની શકે છે. જો કે, આ વાયરસનો શિકાર બની ચૂકેલા લોકોમાં ખાસ કોઈ લક્ષણો જોવા મળતા નથી, અથવા તો ખૂબ જ સામાન્ય લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો ડેન્ગ્યૂમાં પણ જોવા મળે છે. જો કે, સારવાર મોડી મળે તો દર્દી માંટે આ વાયરસ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ
ઝીકા વાયરસ મચ્છરો કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં વધારે સક્રિય રહેતા હોય છે. પહેલી વાર 1947 માં યુગાન્ડામાં વાંદરાઓમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1952 માં ટાન્ઝાનિયામાં ફેલાયો હતો.
ઝીકા વાયરસના લક્ષણો
- તાવ
- લાલ ચકામા
- માથાનો દુખાવો
- સ્નાયુઓમાં દુખાવો
- સાંધામાં દુખાવો
ઝીકા વાયરસ શરીરમાં દાખલ થયાના 3 થી 4 દિવસમાં લક્ષણો દેખાય છે. જોકે કેટલાક લોકોમાં લક્ષણો દેખાતા પણ નથી. તિરુવનંતપુરમ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ઝીકા વાયરસ ઘાતક નથી તેથી ચિંતાનો કોઈ વિષય નથી. જે મહિલામાં ઝીકા પોઝિટીવ નીકળી છે તેની સારવાર ચાલી રહી છે અને તેને તબિયત સારી છે.
ઝીકા વાયરસથી બચવા શું કરવું
હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
કોના માટે ઘાતક
સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં નોંધાયા છે 10 કેસ
ઉત્તરપ્રદેશના કાનપુરમાં અત્યાર સુધી ઝીંકા વાયરસના 10 કેસ નોંધાયા છે. જેના કારણે પ્રશાસનમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. જેથી હાલ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમા કાનપુરમાં દિવસેને દિવસે ઝીંકા વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. ગત રવિવારે અહિયા બીજા 6 દર્દીઓ સામે આવ્યા બાદ જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે. અત્યાર સુધીમાં અહિયા 10 લોકો ઝીકા વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એરફોર્સનો કર્મચારી ઝીંકા વાયરસનો ભોગ બન્યા બાદ સામાન્ય લોકો પણ અહિયા ઝીંકા વાયરસનો ભોગ બની રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime