બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Zika Virus Symptoms And Treatment

ચિંતા / એલર્ટ: તમારા શરીરમાં પણ જોવા મળે આવા લક્ષણો તો પહોંચી જજો ડોક્ટર પાસે, હોઈ શકે છે ખતરનાક વાયરસ

Kavan

Last Updated: 04:01 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના અને ડેન્ગ્યૂના પ્રકોપ વચ્ચે તાજેતરમાં જ ઝીકા વાયરસના કહેરે સરકારની અને લોકોની ઊંઘ હરામ કરી છે. કાનપુરમાં 10 કેસ નોંધાયા છે ત્યારે નિષ્ણાંતોના મત પ્રમાણે શું છે ઝીકા વાયરસ તે જાણી લેવું જરૂરી છે.

  • ઝીકા વાયરસના કહેરે વધારી ચિંતા 
  • જાણો શું છે ઝીકા વાયરસ અને તેના લક્ષણો 
  • કાનપુરમાં નોંધાયા છે 10 કેસ

એક તરફ કોરોના સંકટ ઘટ્યું છે ઝીકા વાયરસે હાહાકાર મચાવ્યો છે અને નિષ્ણાંતોના મતે આ વાયરસ ખૂબ જ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 

શું છે ઝીકા વાયરસ ? 

નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, ઝીકા વાયરસ એક મચ્છજન્ય બિમારી છે. જે એડીઝ નામના મચ્છરથી ફેલાય છે. મચ્છરની આ પ્રજાતિ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનું પણ કારણ બની શકે છે. જો કે, આ વાયરસનો શિકાર બની ચૂકેલા લોકોમાં ખાસ કોઈ લક્ષણો જોવા મળતા નથી, અથવા તો ખૂબ જ સામાન્ય લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો ડેન્ગ્યૂમાં પણ જોવા મળે છે. જો કે, સારવાર મોડી મળે તો દર્દી માંટે આ વાયરસ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.  

કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ

ઝીકા વાયરસ મચ્છરો કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં વધારે સક્રિય રહેતા હોય છે. પહેલી વાર 1947 માં યુગાન્ડામાં વાંદરાઓમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1952 માં ટાન્ઝાનિયામાં ફેલાયો હતો. 

ઝીકા વાયરસના લક્ષણો
- તાવ
- લાલ ચકામા
- માથાનો દુખાવો
- સ્નાયુઓમાં દુખાવો
- સાંધામાં દુખાવો

ઝીકા વાયરસ શરીરમાં દાખલ થયાના 3 થી 4 દિવસમાં લક્ષણો દેખાય છે. જોકે કેટલાક લોકોમાં લક્ષણો દેખાતા પણ નથી. તિરુવનંતપુરમ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ઝીકા વાયરસ ઘાતક નથી તેથી ચિંતાનો કોઈ વિષય નથી. જે મહિલામાં ઝીકા પોઝિટીવ નીકળી છે તેની સારવાર ચાલી રહી છે અને તેને તબિયત સારી છે. 

ઝીકા વાયરસથી બચવા શું કરવું 

હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ. 

કોના માટે ઘાતક

સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે. 


ઉત્તરપ્રદેશના કાનપુરમાં નોંધાયા છે 10 કેસ 

ઉત્તરપ્રદેશના કાનપુરમાં અત્યાર સુધી ઝીંકા વાયરસના 10 કેસ નોંધાયા છે. જેના કારણે પ્રશાસનમાં ખળભળાટ મચી ઉઠ્યો છે. જેથી હાલ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમા કાનપુરમાં દિવસેને દિવસે ઝીંકા વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. ગત રવિવારે અહિયા બીજા 6 દર્દીઓ સામે આવ્યા બાદ જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે. અત્યાર સુધીમાં અહિયા 10 લોકો ઝીકા વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એરફોર્સનો કર્મચારી ઝીંકા વાયરસનો ભોગ બન્યા બાદ સામાન્ય લોકો પણ અહિયા ઝીંકા વાયરસનો ભોગ બની રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ