બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / youths pelted stones on police after the communal clash in jodhpur
Dhruv
Last Updated: 11:03 AM, 3 May 2022
રાજસ્થાનની સૂર્યનગરીના જોધપુરમાં ઈદ અલ-ફિત્ર 2022 અને અક્ષય તૃતીયાના તહેવાર પહેલાં સોમવારે મોડી રાત્રે બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતાં. સંઘર્ષની શરૂઆત જલોરી ગેટ ચોક પર બાલમુકંદ બિસ્સા સર્કલ પર ભગવા ધ્વજને ઉતારીને તેના સ્થાને સમુદાયના ધ્વજને લહેરાવવાથી થઈ હતી. આથી મામલો વધારે બિચક્યો અને એકાએક સામસામે પથ્થરમારો શરૂ થઇ ગયો. આ પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ પણ થયા.
જો કે, પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે વચ્ચે પડી ટોળાંને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ ભીડ બેકાબૂ બનતાં પોલીસે આ દરમિયાન લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવામાં લાગેલી પોલીસ પર એક સમુદાય દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો. જેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ ઘટનાને કવર કરી રહેલા મીડિયાકર્મીઓ પણ પોલીસના ગુસ્સાનો શિકાર બન્યા હતાં, પોલીસે 4 મીડિયાકર્મીઓને પણ માર માર્યો હતો. હાલ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ સર્જાયું છે. પોલીસે તહેવારને સાંપ્રદાયિક સંવાદિતા સાથે ઉજવવા અપીલ કરી છે.
CM અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી
Rajasthan CM Ashok Gehlot appeals to maintain peace & cooperate in maintaining law & order to those involved in a clash between 2 groups at Jalori Gate, Jodhpur; tweets, "the administration has been instructed to maintain peace and order at all costs." pic.twitter.com/pqGnOBuZ85
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 3, 2022
રાતના 1 વાગ્યાથી જ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઇ
જિલ્લા પ્રશાસને તણાવપૂર્ણ વાતાવરણને જોતા સાવચેતીના પગલારૂપે ઈન્ટરનેટ સેવાઓ મોડી રાતથી જ બંધ કરી દીધી છે. જોધપુરમાં રાતના 1 વાગ્યાથી જ તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જોધપુરના ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ જારી કરેલા આદેશમાં સમગ્ર જોધપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
જોધપુર મુફ્તી સાહેબે મોરચો સંભાળ્યો
ઈદ પહેલાં સાંપ્રદાયિક સંવાદિતા બગડ્યા બાદ હવે સમાજના આગેવાન લોકો મોરચો સંભાળવા આગળ આવ્યા છે. જોધપુર મુફ્તી સાહેબ પણ રસ્તાઓ પર આવી પહોંચ્યા છે અને ભીડને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
પોલીસે મીડિયાકર્મીઓને પણ માર માર્યો, 4 ઘાયલ
આ હિંસા બાદ પોલીસે કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ પર પણ લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ચાર મીડિયાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે મીડિયા કર્મીઓને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલ મીડિયાકર્મીઓને અન્ય સાથીદારોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા