પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે એ તો આપણે દરેક જાણીએ છે પણ શુ તમે જાણો છો કે વધારે પાણી પીવાથી આપણને નુક્સાન પહોંચી શકે છે. થોડા સમય પહેલા કરવામાં આવેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે હાઈડ્રેશન થવાથી બ્લડમાં સોડિયમનું લેવ ઝડપથી નીચે જાય છે જેના કારણે મગજમાં સોજો આવી શકે છે. આ વાત વૃદ્ધો અને સેન્સેટિવ લોકો પર વધારે લાગુ પડી શકે છે.
શોધ પ્રમાણે વધારે પાણી પીવાથી બ્લડમાં સોડિયમનું લેવલ અસામાન્ય રૂપથી ઓછુ થાય છે જેના કારણે હાઈપોનેટ્રીમિયા થી જાય છે. સોડિયમ એક ઈલેક્ટ્રોલાઈટ છે જે કોશિકાઓની અંદર અને આસપાસ પાણીની માત્રાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અતિ હાઈડ્રેશનથી શરીરમાં પાણીનું સ્તર વધી જાય છે અને કોશિકાઓ સુકાવા લાગે છે જે આપણા માટે જીવલેણ છે. આ સોજા અન્ય ઘણી બીમારીઓને પેદા કરી શકે છે.
કેટલું પાણી પીવું જોઈએ
ઓછામાં ઓછા એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આપણા શરીરમાં ન તો પાણીની કમી થવી જોઈએ ન તો તેની અતિ થવી જોઈએ. આ ઉપરાંત પાણી પીતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એક વખતમાં માણસે વધારે પાણી ન પીવું જોઈએ.
ઓવર હાઈડ્રેશનના લક્ષણ
- ઉબકા અને ઉલ્ટી
- માથાનો દુખાવો
- માનસિક સ્થિતિમાં બદલાવ જેમકે ભ્રમ કે વિચલન
જો દર્દી સમયાનુસાર તેનો ઈલાજ ન કરાવે તો તે બેભાન અને કોમાની સ્થિતિમાંથી પસાર થઈ શકે છે.