બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Worshiping Goddess Durga in this Chaitri Navratri will give double fruit, auspicious yoga is happening
આ વર્ષની ચૈત્રી નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ,મંગળવારથી થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ નવરાત્રીમાં કેટલાક શુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે જેથી દૂર્ગાની પૂજા કરવાથી ભક્તોને તેના બમણા ફળ મળશે. માન્યતા અનુસાર ચૈત્રી નવરાત્રીમાં નવે નવ દિવસ દૂર્ગા માતા પૃથ્વી પર વાસ કરે છે. આ નવરાત્રીમાં દુર્ગા માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનું મહત્વ છે. ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસને શુભ માનવામાં આવે છે.દુર્ગા માતાની પૂજા તમામ અશુભ પ્રભાવોને દૂર કરે છે.
ADVERTISEMENT

ચૈત્ર નવરાત્રિમાં અનેક શુભ યોગ બનશે. ચૈત્રી નવરાત્રીની શરૂઆત અમૃત સિદ્ધિ યોગથી થશે.આ નવરાત્રીમાં કુલ પાંચ વખત રવિયોગ અને ત્રણ વખત સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. જ્યોતિષોના મતે આ શુભ યોગોમાં જે ભક્તો દુર્ગા માતાની પૂજા કરશે તેમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે.
ADVERTISEMENT
આ સિવાય આ ચૈત્ર નવરાત્રિના પાંચમા નોરતે એટલે કે, 13 એપ્રિલના રોજ સૂર્ય રાત્રે મેષ રાશિમાં પ્રવેશ કરશે તો ગુરુ પહેલાથી જ મેષ રાશિમાં હાજર રહેશે. જેથી મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ બનશે, જેને જ્યોતિષમાં ગુરુ આદિત્ય યોગ કહેવામાં આવે છે. આ શુભ માનવામાં આવે છે.

ADVERTISEMENT
જણાવી દઈએ કે, જ્યોતિષ મુજબ આ વર્ષે દુર્ગા માતા ઘોડા પર સવાર થઈને આવશે જેને શુભ માનવામાં આવતું નથી. દુર્ગા માતાનું ઘોડા પર આવવુ એક સંકેત છે કે આ વર્ષે કુદરતી આફત કે બીજી કોઈ આફત આવી શકે છે.
વધુ વાંચો : વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ: 100 વર્ષ બાદ હોળીના દિવસે દસ્તક, એક ક્લિકમાં જાણો ગ્રહણની 10 મોટી વાત
ADVERTISEMENT
દુર્ગા માતાની પૂજા તમામ અશુભ પ્રભાવોને દૂર કરી ઉપાસકો માટે કલ્યાણદાયી સાબિત થાય છે. શુભ ગ્રહોની ઉપસ્થિતિમાં પુજા કરવાથી દુર્ગા માતા ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે. નવરાત્રીમાં દુર્ગા માતાની પૂજાથી નકારાત્મકતા દૂર થઈને ભક્તોને સકારાત્મક ફળ મળે છે તેવી માન્યતા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.