બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 PM, 29 December 2025
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેને નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યુ કે આ પછી મોસ્કો તેની શાંતી વાટાઘાટો અંગે સમીક્ષા કરશે.
ADVERTISEMENT
લાવરોવના અનુસાર યુક્રેને 28 ડિસેમ્બરની રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી રશિયન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ બધા ડ્રોનને નષ્ટ કરી દીધા હતા.

ADVERTISEMENT
તેમણે કહ્યું કે આવી "બેજવાબદાર કાર્યવાહી" નો જવાબ આપવામાં આવશે. તેમણે તેને "રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ" ગણાવ્યો. લાવરોવે જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોએ બદલો લેવા માટે પહેલાથી જ લક્ષ્યો ઓળખી કાઢ્યા છે.
રશિયન વિદેશ પ્રધાને એમ પણ કહ્યું હતું કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સંભવિત શાંતિ કરાર અંગે યુક્રેન સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રશિયા વાટાઘાટોમાંથી પાછળ હટશે નહીં, પરંતુ વાટાઘાટો અંગે મોસ્કોના વલણની સમીક્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / કરોડપતિ કેમ છોડી રહ્યાં છે ભારત? સરકારે કહ્યો અસલી ખેલ
ADVERTISEMENT
દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રશિયા કિવમાં સરકારી ઇમારતો પર હુમલા માટે માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જો કે આ વચ્ચે એ સ્પષ્ટ નથી થયું કે હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન નિવાસસ્થાને હાજર હતા કે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.