બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / world is hopeful towards india and public towards bjp says pm modi in jaipur bjp meeting
ADVERTISEMENT
ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ
આજે જયપૂરમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસેથી ઘણી આશાઓ લઈને દુનિયા જોઈ રહી છે. એવી જ રીતે ભારતમાં ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ તરફ વિશેષ આશા, અને વિશ્વાસથી જોવે છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન
જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
PM MODI એ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભાષાના આધારે વિવાદો ઊભા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ દરેક ભાષાઓમાં ભારતની સંસ્કૃતિ જોવે છે અને તેણે પૂજનીય માને છે. આપણે દરેક ભાષાને મહત્વ આપ્યું છે.
In past few days, we have seen that attempts are being made to spark controversies on the basis of languages. BJP sees a reflection of Indian culture in every regional language & considers them worth worshipping. We have given importance to every regional language in NEP: PM Modi pic.twitter.com/SHNy0EOJ7L
— ANI (@ANI) May 20, 2022
ADVERTISEMENT
સુંદર સિંહ ભંડારીજીની જન્મશતાબ્દીનું વર્ષ
પીએમ મોદીએ કહ્યું કે આપણી સફર જનસંઘથી શરૂ થઈ અને BJP તરીકે વિકસી, હવે પાર્ટીનું આ સ્વરૂપ અને તેનો વિસ્તાર જોઈએ તો ગર્વ થાય છે, પરંતુ જે લોકોએ તેના નિર્માણમાં જાત ખર્ચી છે તે તમામ વ્યક્તિઓને આજે હું નમન કરું છું. આજે આ વર્ષ આદરણીય સુંદર સિંહ ભંડારીજીની જન્મશતાબ્દીનું વર્ષ પણ છે. આવા પ્રેરણાદાયી માણસને આપણે સૌ હૃદયથી સલામ કરીએ છીએ.
ADVERTISEMENT
અમૃતકાળમાં દેશ 25 વર્ષ માટે લક્ષ્યાંક નક્કી કરી રહ્યો છે
વડાપ્રધાને કહ્યું કે દેશના લોકોની આશા અને આકાંક્ષા આપણી જવાબદારીને ઘણી વધારે છે. આઝાદીના આ અમૃતકાળમાં દેશ આગામી 25 વર્ષ માટે પોતાના લક્ષ્યો નક્કી કરી રહ્યો છે. ભાજપ પાસે આગામી 25 વર્ષ માટેના લક્ષ્યાંકો નક્કી કરવાનો પણ સમય છે. આપણે દેશની જનતાની અપેક્ષાઓ પૂરી કરવાની છે. દેશ સામેના પડકારોને દેશની જનતાએ સાથે મળીને હરાવવાના છે. આપણો મંત્ર છે 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ'.
લોકોની આકાંક્ષા સાથે સરકારની જવાબદારી વધી
PM મોદીએ કહ્યું, 'મિત્રો, દેશની જનતાએ 2014માં નવો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું. ભભારતનો દરેક નાગરિક પરિણામ ઈચ્છે છે. સરકારોને કામ કરતી જોવા માંગે છે. તેની આંખો સમક્ષ પરિણામ જોવા માંગે છે. હું આને રાજકીય લાભ અને નુકસાનને બાજુ પર રાખીને એક વિશાળ સકારાત્મક પરિવર્તન માનું છું. જો 130 કરોડ લોકોની આકાંક્ષાઓ આ રીતે વધે છે તો સરકારોની જવાબદારી પણ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.