બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 AM, 18 June 2025
Air India flight cancelled : એર ઈન્ડિયાને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બાદ જાણે કે એર ઈન્ડિયાની માઠી બેઠી હોય ફ્લાઇટ કેન્સલ અને ઇમરજન્સી લેન્ડિંગના સમાચારો વચ્ચે વધુ એક અપડેટ સામે આવી છે. આજે એટલે કે બુધવારે પૂર્વી ઇન્ડોનેશિયામાં એક શક્તિશાળી જ્વાળામુખી ફાટવાના કારણે બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ પણ કરવી પડી હતી, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી પડી હતી.
ADVERTISEMENT
વાસ્તવમાં પૂર્વ નુસા ટેંગારા પ્રાંતમાં સ્થિત ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક માઉન્ટ લેવાટોબી લાકી લાકી મંગળવારે સાંજે ફાટ્યો હતો. તેના કારણે રાખના વિશાળ વાદળો આકાશમાં 10,000 મીટર (32,800 ફૂટ) થી વધુ ઊંચાઈએ ઉડ્યા હતા. તે લગભગ 150 કિમી દૂરથી જોઈ શકાતું હતું. સાવચેતીના ભાગ રૂપે ઘણી એરલાઇન્સે બાલીના ન્ગુરાહ રાય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરી દીધી હતી. વર્જિન ઓસ્ટ્રેલિયા, જેટસ્ટાર, એર ન્યુઝીલેન્ડ, સિંગાપોરની ટાઇગરએર, ચીનની જુન્યાઓ એરલાઇન્સ અને એર ઇન્ડિયા સહિતની ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ રદ કરી હતી અથવા તેમના રૂટ બદલ્યા હતા.
Air India Spokesperson says, "Air India flight AI2145, on 18 June 2025 from Delhi to Bali was advised to return to Delhi due to reports of volcanic eruption near the destination airport Bali, in the interest of safety. The flight safely landed back in Delhi and all passengers…
— ANI (@ANI) June 18, 2025
ADVERTISEMENT
દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ફ્લાઇટ વચ્ચે જ પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી. આ પછી વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. એરલાઇને સ્પષ્ટતા કરી કે, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. અમે અસરગ્રસ્ત મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો તેઓ ટિકિટ રદ કરવાનો અથવા મુસાફરી બદલવાનો અથવા રિફંડ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ADVERTISEMENT
13 એર ઇન્ડિયા ફ્લાઇટ્સ રદ
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સુરક્ષા તપાસમાં વધારો અને વિમાનોની ઉપલબ્ધતા સહિતના કારણોસર એર ઇન્ડિયાએ મંગળવારે સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. આમાંથી 6 ફ્લાઇટ્સ પરત ફરવાથી રદ કરવામાં આવી છે, જેના કારણે રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બધી બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ હતી.
ADVERTISEMENT
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ જણાવ્યું હતું કે, 12 થી 17 જૂન દરમિયાન છેલ્લા છ દિવસમાં એર ઇન્ડિયાની કુલ 248 ડ્રીમલાઇનર ફ્લાઇટ્સમાંથી 66 ફ્લાઇટ્સ ટેકનિકલ ખામીઓ અથવા વિમાનોની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ કરવી પડી હતી. આ સમયગાળા દરમિયાન એર ઇન્ડિયાએ 262 મોટા વિમાનોનું સંચાલન કર્યું હતું, જેમાંથી 83 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
DGCA ના જણાવ્યા અનુસાર મંગળવારે રદ કરાયેલી ફ્લાઇટ્સમાં અમદાવાદ-લંડન, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગ્લોર-લંડન, દિલ્હી-વિયેના અને દિલ્હી-પેરિસનો સમાવેશ થાય છે. સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં લેન્ડ કરવામાં આવી હતી અને તેની મુંબઈ અને પછી પાછા ફરવાની આગળની સફર રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળવારે ગેટવિક-લંડનથી અમૃતસર જતી ફ્લાઇટ AI-170 પણ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.