બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:52 PM, 14 June 2026
Strait of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારતીય ક્રૂ ઓઇલ ટેન્કર બોકેમ મારેંગો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જહાજને નુકસાન થયું હતું, પરંતુ બધા ભારતીય ખલાસીઓ સુરક્ષિત રહ્યા. જહાજ પછીથી ફુજૈરાહ પહોંચ્યું, જ્યાં તેના નિરીક્ષણ અને સમારકામની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. શાંતિ કરારની ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. આ જહાજોમાં સેવા આપતા ભારતીય ખલાસીઓ આ તણાવનો ભોગ બની રહ્યા છે. ભારતે હોર્મુઝમાં ભારતીયોને સતત નિશાન બનાવવાનો વિરોધ કર્યો છે. જોકે હુમલાઓ રોકાવાનુ નામ નથી લઇ રહ્યા.
હોંગકોંગના ઝંડાવાળા તેલ અને રાસાયણિક ટેન્કર બોકેમ મારેંગો પર 12-13 જૂનની રાત્રે હોર્મુઝમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ સંપૂર્ણપણે ભારતીય ખલાસીઓ દ્વારા સંચાલિત હતું. હુમલામાં જહાજને નુકસાન થયું હતું, પરંતુ ક્રૂના તમામ સભ્યો સુરક્ષિત છે.
ADVERTISEMENT
એક તરફ અમેરિકા તેના નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા જહાજો પર હુમલો કરી રહ્યું છે. બીજી તરફ ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. આ સંઘર્ષમાં ભારતીય ખલાસીઓ ફસાયેલા છે જેમને આ લડાઇ સાથે કોઈ લેવાદેવા નથી.
ભારતીય ક્રૂ સાથેનું એક ટેન્કર હોર્મુઝમાં ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતું
ADVERTISEMENT
12-13 જૂન 2026 ની રાત્રે એક મોટી ઘટના બની હતી. હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક તેલ ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં સવાર તમામ ક્રૂ ભારતીય ખલાસીઓ હતા. સદનસીબે બધા ખલાસીઓ સુરક્ષિત રીતે બચી ગયા.
જહાજનું નામ બોકેમ મારેંગો છે. તે એક તેલ અને રસાયણ ટેન્કર છે. તે હોંગકોંગનો ધ્વજ લહેરાવે છે. જહાજ એંગ્લો-ઇસ્ટર્ન શિપ મેનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત હતું. તેમાં સવાર તમામ ખલાસીઓ ભારતીય હતા.
ADVERTISEMENT
જહાજ યુએસ NCAGS સુરક્ષા પ્રણાલી હેઠળ પસાર થઈ રહ્યું હતું, એટલે કે રૂટ પર યુએસ નેવી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી. આમ છતાં 12-13 જૂનની રાત્રે એક માનવરહિત ડ્રોને જહાજને નિશાન બનાવ્યું.
જહાજને શું નુકસાન થયું?
ADVERTISEMENT
હુમલાથી જહાજના ત્રણ ભાગોને અસર થઈ. નંબર 1 અને નંબર 2 પોર્ટ વોટર બેલાસ્ટ ટેન્કને નુકસાન થયું હતું. આ એવી ટાંકીઓ છે જે જહાજનું સંતુલન જાળવવા માટે પાણીથી ભરેલી હોય છે. નંબર 2 પોર્ટ કાર્ગો ટેન્કને પણ અસર થઈ હતી, જ્યાં તેલ અને રસાયણોનો સંગ્રહ થાય છે. જોકે, નુકસાન છતાં જહાજ ડૂબી ગયું નહીં અને તેની યાત્રા ચાલુ રાખવામાં સક્ષમ હતું. આ એક મહત્વપૂર્ણ વાત હતી.
હુમલા પછી શું થયું?
ADVERTISEMENT
ઘટના પછી તરત જ એક ઇમરજ્ન્સી રિસ્પોન્સ ટીમને બોલાવવામાં આવી હતી. આ ટીમે પરિસ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું. જહાજ માલિકોએ સંબંધિત નૌકાદળ એજન્સીઓ અને યુકેએમટીઓને પણ જાણ કરી, જે આ વિસ્તારમાં જહાજોની સલામતી પર નજર રાખે છે.
ભારતે હોર્મુઝમાં થઇ રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો
વિશ્વના તેલ વેપારનો મોટો ભાગ હોર્મુઝમાંથી પસાર થાય છે. અમેરિકાએ આ વિસ્તાર પર નાકાબંધી લાદી છે, એટલે કે તેની પરવાનગી વિના કોઈ પણ જહાજ પસાર થઈ શકતું નથી.
એમટી સેટેબેલો નામનું જહાજ આ વિસ્તારમાં હતું. આ કોઈ લશ્કરી જહાજ નહોતું, તે માલસામાન વહન કરતું નિયમિત વેપારી જહાજ હતું. તે પલાઉના ઝડા હેઠળ સફર કરી રહ્યું હતું, પરંતુ તેમાં સવાર 24 ખલાસીઓ બધા ભારતીય હતા. યુએસ નેવીએ જહાજ પર હુમલો કર્યો. 21 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ માર્યા ગયા હતા.

આ પણ વાંચોઃ હોર્મુઝ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર, જાણો કેવી રીતે થશે અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા
ભારતે આ હુમલા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને ફોન કર્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે આમ જહાજો પર આવા ઘાતક હુમલા કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. ભારતના વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બેઠેલા અમેરિકી કાર્યકારી રાજદૂતને પણ બોલાવીને પોતાની કડક નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતીય ખલાસીઓને લઈ જતા જહાજો પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ.
શનિવારે રુબિયોએ ફરી ફોન કર્યો પરંતુ તેમનું વલણ વધુ કડક હતું. તેમણે કહ્યું કે અમેરિકા હોર્મુઝ પરના તેના નાકાબંધીના ઉલ્લંઘનને સહન કરશે નહીં. આનો અર્થ એ થયો કે અમેરિકાએ કોઇ માફી માંગી નહીં પરંતુ ચેતવણી આપી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.