બ્રેકિંગ ન્યુઝ
VTV / women reservation bill passed in both houses of parliament law will be made after president approval
Last Updated: 08:52 AM, 22 September 2023
ADVERTISEMENT
મહિલા અનામત બિલ બાબતે તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થયા પછી રાજ્યસભામાં પણ સર્વસંમતિથી આ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના સમર્થનમાં 214 વોટ નાખવામાં આવ્યા. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી મહિલા અનામત બિલ કાયદો બની જશે. તે પહેલા જનગણના અને પરિસીમનનું કામ કરવામાં આવશે. ઉચ્ચ સદનમાં આ બિલ પસાર થયા પછી બંને સદન અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો અનુસાર મહિલા અનામત બિલે હજુ ઘણું લાંબુ અંતર કાપવાનું છે. ભારતની 69 કરોડ મહિલાઓને આશા છે કે, હવે રાજનીતિમાં પણ મહિલાઓની ભાગીદારીમાં વધારો થશે.
લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને હોરિઝન્ટલ અને વર્ટિકલ અનામત આપવામાં વશે, જે SC-ST કેટેગરી પર લાગુ થશે. ભારતમાં 95 કરોડ રજિસ્ટર્ડ મતદાતા છે, જેમાંથી અડધી સંખ્યા મહિલાઓને છે. મહિલાઓ સંસદમાં 15 ટકા અને રાજ્ય વિધાનસભામાં 10 ટકા ભાગીદારી ધરાવે છે. રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ નહીં થાય.
ADVERTISEMENT
Had the honor of meeting our dynamic women MPs who are absolutely thrilled at the passage of the Nari Shakti Vandan Adhiniyam.
— Narendra Modi (@narendramodi) September 21, 2023
It is gladdening to see the torchbearers of change come together to celebrate the very legislation they have championed.
With the passage of the Nari… pic.twitter.com/et8bukQ6Nj
2024ની ચૂંટણી પછી જનગણના થશે
કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં જમાવ્યું છે કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા પછી સંવિધાન (128મું સંશોધન) બિલ, 2023 લાગુ કરવામાં આવશે. જનગણનામાં સામાજિક અને આર્થિક માપદંડો સાથે સંબંધિત ડેટા એકત્ર કરવાનો રહે છે, તેથી કર્મચારીઓ માટે જનગણનાનું કામ કરવું તે સરળ નથી. સરકાર મહિલા અનામત બિલ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. મહિલાઓને કઈ સીટ મળશે, તે પરિસીમન આયોગ નક્કી કરશે. વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે જનગણના થઈ શકી નથી. વર્ષ 2024ની ચૂંટણી પછી જનગણના કરવામાં આવશે.
રાજ્યસભામાં અનામત આપવી સંભવ નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણ જણાવે છે કે, આ બિલ મહિલાઓને લોકસભામાં સીટ માટે અનામતની જોગવાઈ કરે છે. કેટલાક સભ્યો પાસેથી જાણવા મળ્યું છે કે, મહિલાઓને રાજ્યસભામાં પણ અનામત આપવી જોઈએ. અપ્રત્યક્ષ ચૂંટણી પ્રક્રિયા અને જે પ્રકારે પ્રાથમિકતા આપવામાં આવે છે, તે પ્રકારે કોઈપણ પ્રકારની અનામત આપવી સંભવ નહીં બને.
મહિલા અનામત બિલ ક્યારે લાગુ થશે
રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે, ‘આ બિલ ક્યારે લાગુ કરવામાં આવશે, તેના વિશે પણ જણાવો, નહીંતર તે માત્ર એક બિલ બનીને રહી જશે. સરકાર વર્ષ 2024ની લોકસભા ચૂંટણીથી આ બિલ લાગુ કરી શકે છે.’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, ‘આગામી 2024ની ચૂંટણીમાં આ અનામત લાગુ નહીં કરવામાં આવે. આગામી સરકાર ચૂંટણી પછી લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે અનામતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે જનગણના અને પરિસીમન કરવામાં આવશે.’
મહિલા અનામત બિલ કઈ પ્રક્રિયામાંથી પસાર થશે?
મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભા તથા દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે ત્રીજા ભાગની સીટ અનામત રાખવામાં આવે છે. જે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં SC-ST માટે અનામત સીટ પર પણ લાગુ થશે.
જનગણના પછી અનામત લાગુ થશે. જનગણનાના આધાર પર મહિલાઓ માટે સીટ આરક્ષિત કરવા માટે પરિસીમન કરવામાં આવશે. 15 વર્ષ માટે અનામત પ્રદાન કરવામાં આવશે.
સંસદ દ્વારા બનાવેલ કાયદામાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પરિસીમન પછી મહિલાઓ માટે અનામત સીટનું રોટેશન કરવામાં આવશે. અનામત લાગુ કરતા પહેલા જનગણનાની સાથે સાથે પરિસીમન પણ કરવાનું રહેશે.
પરિસીમન પ્રક્રિયા શું છે?
આ બિલનું મહત્ત્વ
સરકારી સૂત્રો અનુસાર વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. ત્યારપછી વસ્તીમાં 30 ટકા વધારો થયો છે. જે માટે લોકસભાની સીટ તે જ રેશિયોમાં વદશે. હાલમાં લોકસભાની 543 સીટમાં 210 સીટ વધશે, જેથી કુલ 753 સીટ થઈ શકે છે. ચૂંટણી આયોગના સૂત્રો અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર લોકસભા અને વિધાનસભાની કુલ સીટમાંથી 33 ટકા સીટ મહિલાઓ માટે આરક્ષિત કરવા માટે ત્રિપલ ટેસ્ટ જરૂરી છે. જે માટે કુલ સંખ્યામાં મહિલાઓની ભાગીદારીનો સર્વે કરવામાં આવશે, જે માત્ર જનગણના પરથી જ જાણી શકાશે. વર્ષ 2024ની ચૂંટણી પછી જનગણનાનું કામ શરૂ થઈ શકે છે. જેમાં બે વર્ષનો સમય લાગશે. ત્યારપછી પરિસીમન પ્રક્રિયામાં સમય લાગી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.