બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / વડોદરા / વડોદરામાં શેરડીની લારીવાળાએ ઝેરી શેરડીનો રસ પીવડાવીને પિતા-પત્નીને મારી નાખ્યાં, પુત્ર ગંભીર, પોતે ઝેર પીધું

ગુજરાત / વડોદરામાં શેરડીની લારીવાળાએ ઝેરી શેરડીનો રસ પીવડાવીને પિતા-પત્નીને મારી નાખ્યાં, પુત્ર ગંભીર, પોતે ઝેર પીધું

Last Updated: 05:29 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં બનેલી એક અત્યંત ચકચારી ઘટનામાં શેરડીની લારી ચલાવનાર શખ્સે પરિવારને શેરડીના રસમાં ઝેર ભેળવીને આપ્યું હતું.

ઉનાળાની બળબળતી ગરમીમાં શેરડીનો રસ પીવો કોને ન ગમે? પરંતુ એક પરિવારને તો ઝેરી શેરડીનો રસ પીવો પડ્યો અને તેમાં મોટી દુર્ઘટના બની ગઈ. વડોદરાના તરસાલીમાં શેરડીનું કોળુ ચલાવનાર ચેતન સોની નામના શખ્સે પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું જેમાં પિતા અને પત્નીનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે પુત્રની હાલત ગંભીર થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અંતિમ સંસ્કાર બાદ મામલો ખુલ્યો

ચેતન સોનીએ આપેલો ઝેરવાળો શેરડીનો રસ પીવાથી પિતા અને પત્નીનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે ચેતન સોનીએ બન્નેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં હતા જે પછી આ સનસનીખેજ મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે ચેતન સોનીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી.

શા માટે શેરડીના રસમાં ઝેર આપ્યું?

પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ચેતન સોનીએ આર્થિક સંકડામણને કારણે આવું પગલું ભર્યું હતું. હાલ ચેતન સોની અને પુત્ર આકાશ સોનીની સારવાર ચાલી રહી છે.

ચેતન સોનીએ પણ પીધું ઝેર

ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી અને પત્ની બિંદુએ પણ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીધું હતું. આ પછી મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસને જણાયું કે ચેતનભાઇના પત્ની અને પિતાનું અગાઉ મોત થયું હતું અને પોલીસને જાણ વગર બારોબાર અંતિમવિધિ પણ કરી નાખી હતી. શંકા જતાં પોલીસે તેને રાત્રે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પોલીસ તેઓને ઘરે તપાસ કરવા માટે પણ લઈ ગઈ હતી અને ત્યારે પોલીસને ખબર પડી હતી કે ચેતન સોનીએ પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું. આ પછી પકડાઈ જવાની બીકે ચેતને પોલીસની નજર ચુકવીને ઝેરી દવા પી લીધી હતી થોડા સમય પછી તેઓને પણ ઉલટી શરૂ થતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવ્યું હોવાની શંકા

મકરપુરા PI જે.એન. પરમારે કહ્યું હતું કે પોટેશિયમ સાઈનાઈડની ગોળી ભેળવાયેલો શેરડીનો રસ પીધા બાદ ઝેરી અસર થઈ હતી.

વધુ વાંચો : ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! ગુજરાતમાં તાપમાનનો પારો જશે 42 ડિગ્રીને પાર, હીટવેવ એલર્ટ જાહેર

ઘર બહાર જાળીએ બાંધ્યાં પિતા-પત્નીના અસ્થિકળશ

ચેતન સોનીએ કોઈને કીધા વગર પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતા અને અસ્થિ કળશ ઘર બહાર જાળીએ બાંધી દીધાં હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ