બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ગુજરાત / વડોદરા / વડોદરામાં શેરડીની લારીવાળાએ ઝેરી શેરડીનો રસ પીવડાવીને પિતા-પત્નીને મારી નાખ્યાં, પુત્ર ગંભીર, પોતે ઝેર પીધું
Last Updated: 05:29 PM, 4 May 2024
ઉનાળાની બળબળતી ગરમીમાં શેરડીનો રસ પીવો કોને ન ગમે? પરંતુ એક પરિવારને તો ઝેરી શેરડીનો રસ પીવો પડ્યો અને તેમાં મોટી દુર્ઘટના બની ગઈ. વડોદરાના તરસાલીમાં શેરડીનું કોળુ ચલાવનાર ચેતન સોની નામના શખ્સે પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું જેમાં પિતા અને પત્નીનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે પુત્રની હાલત ગંભીર થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અંતિમ સંસ્કાર બાદ મામલો ખુલ્યો
ચેતન સોનીએ આપેલો ઝેરવાળો શેરડીનો રસ પીવાથી પિતા અને પત્નીનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે ચેતન સોનીએ બન્નેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં હતા જે પછી આ સનસનીખેજ મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે ચેતન સોનીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી.
ADVERTISEMENT
શા માટે શેરડીના રસમાં ઝેર આપ્યું?
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ચેતન સોનીએ આર્થિક સંકડામણને કારણે આવું પગલું ભર્યું હતું. હાલ ચેતન સોની અને પુત્ર આકાશ સોનીની સારવાર ચાલી રહી છે.
ચેતન સોનીએ પણ પીધું ઝેર
ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી અને પત્ની બિંદુએ પણ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીધું હતું. આ પછી મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસને જણાયું કે ચેતનભાઇના પત્ની અને પિતાનું અગાઉ મોત થયું હતું અને પોલીસને જાણ વગર બારોબાર અંતિમવિધિ પણ કરી નાખી હતી. શંકા જતાં પોલીસે તેને રાત્રે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પોલીસ તેઓને ઘરે તપાસ કરવા માટે પણ લઈ ગઈ હતી અને ત્યારે પોલીસને ખબર પડી હતી કે ચેતન સોનીએ પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું. આ પછી પકડાઈ જવાની બીકે ચેતને પોલીસની નજર ચુકવીને ઝેરી દવા પી લીધી હતી થોડા સમય પછી તેઓને પણ ઉલટી શરૂ થતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવ્યું હોવાની શંકા
મકરપુરા PI જે.એન. પરમારે કહ્યું હતું કે પોટેશિયમ સાઈનાઈડની ગોળી ભેળવાયેલો શેરડીનો રસ પીધા બાદ ઝેરી અસર થઈ હતી.
ઘર બહાર જાળીએ બાંધ્યાં પિતા-પત્નીના અસ્થિકળશ
ચેતન સોનીએ કોઈને કીધા વગર પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતા અને અસ્થિ કળશ ઘર બહાર જાળીએ બાંધી દીધાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT