બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / લોકસભા ચૂંટણી વડે કોંગ્રેસને મોટો ઝટકો, 6 મોટા નેતાઓ ભાજપમાં જોડાયાં

લોકસભા ચૂંટણી / લોકસભા ચૂંટણી વડે કોંગ્રેસને મોટો ઝટકો, 6 મોટા નેતાઓ ભાજપમાં જોડાયાં

Last Updated: 04:43 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. 6 મોટા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયાં છે.

લોકસભા ચૂંટણીની વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર અરવિંદર સિંહ લવલી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઇને નારાજ હતા. અરવિંદર સિંહ લવલીની સાથે કોંગ્રેસના અન્ય ઘણા નેતા પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે. જેમાં રાજકુમાર ચૌહાણ, નસીબ સિંઘ, નીરજ બસોયા અને અમિત મલિકનો સમાવેશ થાય છે. અરવિંદર સિંહ લવલી શીલા દીક્ષિત સરકારમાં મંત્રી હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમને દિલ્હી કોંગ્રેસના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનથી નારાજ

તાજેતરમાં લવલીએ દિલ્હી એકમના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. અરવિંદર સિંહ લવલીએ પદ છોડ્યા બાદ કહ્યું હતું કે કોંગ્રેસનું દિલ્હી એકમ ગઠબંધનની વિરુદ્ધ છે અને પાર્ટી હાઈકમાન્ડે રાષ્ટ્રીય રાજધાનીના નેતાઓની વાત ન સાંભળી અને આપ સાથે ગઠબંધનને મંજૂરી આપી દીધી. તેમણે કોંગ્રેસના દિલ્હી એકમમાં ચાલી રહેલી ખેંચતાણ માટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના દિલ્હીના પ્રભારી દીપક બાબરીયાનું નામ પણ લીધું હતું. પોતાના રાજીનામાના પત્રમાં અરવિંદર સિંહ લવલીએ ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજની ઉમેદવારીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ દિલ્હી કોંગ્રેસ માટે અજાણી વ્યક્તિ છે. શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા પોતાના રાજીનામાના પત્રમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી એકમના વરિષ્ઠ નેતાઓ દ્વારા સર્વાનુમતે લેવામાં આવેલા તમામ નિર્ણયોને દિલ્હીના પ્રભારી દીપક બાબરિયાએ અવરોધિત કર્યા હોવાથી તેઓ લાચારી અનુભવે છે.

વધુ વાંચો : અનામત વિશે આ શું બોલ્યા PM મોદી? કહ્યું '10 વર્ષથી સરકાર ચલાવું છું, જ્યાં સુધી જીવિત છું...'

કોંગ્રેસે ઘણા નેતાઓ ગુમાવ્યાં

ઉલ્લેખીય છે કે લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસે તેના ઘણા નેતાઓ ગુમાવ્યાં છે. નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે, મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસને હાલત ખૂબ ખસ્તાહાલ થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ