બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Why did Bollywood actor Ranvir Shorey apologize before the inauguration of Ram Mandir? Said I was also among the same Hindus who

Ayodhya Ram Mandir / રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા બોલિવૂડના આ ફેમસ એક્ટરે કેમ માંગી માફી? કહ્યું હું પણ એ જ હિન્દુઓમાં હતો જે...

Published By: Megha

Last Updated: 10:22 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર શૌરીએ લોકો પાસે માફી માંગતા કહ્યું કે, 'આજે મને શરમ આવે છે કે હું આ મંદિરના નિર્માણના વિરુદ્ધમાં હતો.'

  • રણવીર શૌરી અગાઉ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના વિરોધમાં હતા. 
  • રણવીરે માફી માંગી છે અને કહ્યું છે કે તે આ વાત પર શરમ અનુભવે છે.
  • અયોધ્યામાં રામ મંદિરને બદલે હોસ્પિટલ અથવા સ્મારક બને એવું ઇચ્છતા હતા. 

રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પરંતુ આના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર શૌરીએ માફી માંગી છે અને અયોધ્યા એમ જ ભગવાન રામને લઈને એવી વાત કહી કે દરેકને આશ્ચર્ય થયું છે. 

વાત એમ છે કે રણવીર શૌરીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર તેની પહેલાની ધારણા કે વિચારને લઈને માફી માંગી છે. અગાઉ તેઓ આ મંદિરના નિર્માણના વિરોધમાં હતા અને ત્યાં હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે તેવું ઈચ્છતા હતા. પરંતુ હવે રણવીર શૌરીએ તેના આ વિચાર પર માફી માંગી છે.

રણવીર શૌરીએ લખ્યું, "હું તે હિન્દુઓમાંનો એક હતો જેઓ અયોધ્યામાં મંદિર બનાવવાને બદલે સ્મારક અથવા હોસ્પિટલ બનાવવા માટે સંમત થયા હતા, જેથી બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી શકાય."આજે મને શરમ આવે છે કે હું શાંતિ માટે સદાચારનું બલિદાન આપવા તૈયાર હતો. મને શરમ આવે છે કે હું મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યો માટે ઉભો નહતો રહ્યો.''

વાંચવા જેવુ: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવનારું

આગળ એમને લખ્યું કે, 'હું ભગવાન રામને ભવિષ્ય માટે ક્ષમા અને શાણપણ માટે પ્રાર્થના કરું છું. હું પ્રાર્થના કરું છું કે ધર્મ આપણી આ મહાન ભૂમિમાં કાયમ ટકી રહે અને તેની સાથે ભારતના તમામ લોકો માટે કાયમી શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય શ્રી રામ."

ફેન્સ અને સેલેબ્સે રણવીરની હિંમતની પ્રશંસા કરી હતી રણવીર શોરીની આ પોસ્ટને ફેન્સ અને સેલેબ્સ તરફથી ઘણી કોમેન્ટ્સ મળી છે. કંગના રનૌતને રણવીરની પોસ્ટને લાઇક કરી છે અને અનુપમ ખેરે કોમેન્ટમાં 'જય શ્રી રામ' લખ્યું. ચાહકોએ કહ્યું કે ભગવાન શ્રી રામની છાયામાં આવવામાં હજુ મોડું નથી થયું. આ રીતે દુનિયા સમક્ષ કબૂલાત કરવા માટે હિંમતની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ram Mandir News Ayodhya ram mandir Ranvir Shorey Apologise અયોધ્યા રામ મંદિર અયોધ્યા રામ મંદિર ઉદ્ધાટન રણવીર શૌરી Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ