બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / who warns covid 19 pandemic coronavirus will never end

સાવધાન / શાંત પાણીમાં પથરો ફેંક્યો WHO ચીફે, 'કોરોનાને લઈને કરી ભયાનક આગાહી કે દુનિયામાં ફેલાયો ડર

Hiralal

Last Updated: 10:41 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કોરોનાને લઈને એક ભયાનક આગાહી કરી છે.

  • કોરોનાના શાંત પાણીમાં કાંકરો ફેંક્યો WHO ચીફે
  • કહ્યું દુનિયામાં કાયમ રહેશે કોરોના 
  • કોરોનાને નાબૂદ કરવો અશક્ય
  • આઠ મહિનામાં 1.70 લાખથી વધુના મોત 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે, છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ના કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે. આ એવા આંકડા છે જેમના રિપોર્ટ સામે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે. તેમણે કહ્યું કે માનવો અને પ્રાણીઓ વચ્ચેથી આ કોવિડ -19 કોરોના વાયરસને નાબૂદ કરવો અશક્ય છે. એવું પણ બની શકે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ. લોકોના મોત ઘટાડી શકીએ, લોકોને સંક્રમિત થતા બચાવી શકીએ પરંતુ કોરોના કાયમી માટે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી બની રહેશે. 

બીજી બીમારીઓ પર ધ્યાન જતું નથી 
ઘેબ્રેયેસસે કહ્યું કે કોરોનાને ઓછો આંકવો એ ભૂલ હશે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય પ્રણાલીઓ કોવિડ -19 સાથે સંઘર્ષ કરી રહી છે. તેના કારણે અન્ય મોટી બીમારીઓ પર ધ્યાન આપવું મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે કોવિડને હજી પણ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યો છે. કોવિ9-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વનું આરોગ્ય તંત્ર કથળ્યું છે. મેડિકલ વર્કફોર્સની અછત સર્જાઈ છે.

કોરોનાને ઓછો આંકવો એ ભૂલ 
ઘેબ્રેયેસસે કહ્યું કે મારો સંદેશ સ્પષ્ટ છે. કોરોનાવાયરસને ઓછો આંકવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. તે આપણને સતત આશ્ચર્યચકિત કરે છે. તે આપણને મારી નાખવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. તેથી અમને વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂર છે. આ વાયરસ આપણા માણસો અને પ્રાણીઓમાં વસી ગયો છે. હવે તે ઘણી પેઢીઓથી સમાપ્ત થવાનો નથી. 

આઠ મહિનામાં કોરોનાથી 1.70 લાખના મોત થયા
ડબલ્યુએચઓ ચીફે એવું પણ કહ્યું કે છેલ્લા આઠ મહિનાથી દુનિયામાં કોરોનાથી 1.70 લાખ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ