બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who is this autistic youth, who sang the Natu-Natu song, PM Modi himself saluted the talent

તેલંગાણા / કોણ છે આ ઓટીઝમ પીડિત યુવક, જેણે ગાયું નાટુ-નાટુ ગીત, ખુદ PM મોદીએ ટેલેન્ટને કર્યું સલામ

Last Updated: 03:45 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કામિસેટ્ટી વેંકટ ઓટિઝમથી પીડિત છે, વેંકટે પીએમ મોદીની સામે નાટુ-નાટુ ગીત ગાયું અમે આ ગીત પર જોરદાર ડાન્સ પણ કર્યો

  • PM મોદીએ તેલંગાણા કરી ગાયક કામિસેટ્ટી વેંકટ સાથે મુલાકાત
  • PMએ વેંકટની પ્રશંસા કરતાં તેમને પ્રતિભાના પાવરહાઉસ તરીકે વર્ણવ્યા  
  • કામિસેટ્ટી વેંકટ ઓટિઝમથી પીડિત, વેંકટે પીએમ મોદીની સામે નાટુ-નાટુ ગીત ગાયું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણાના વારંગલમાં ઓટીસ્ટીક ગાયક કામિસેટ્ટી વેંકટ સાથે મુલાકાત કરી હતી. PM મોદી આ યુવકથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. PM મોદીએ કામિસેટ્ટી વેંકટની પ્રશંસા કરતાં તેમને  પ્રતિભાના પાવરહાઉસ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. તેમણેકહ્યું કે. વેંકટે તેની ગાયકી કારકિર્દીના સ્વપ્નને પૂર્ણ કરવામાં તેની વિકલાંગતાને આડે આવવા દીધી નથી. નોંધનીય છે કે, કામિસેટ્ટી વેંકટ ઓટિઝમથી પીડિત છે. વેંકટે પીએમ મોદીની સામે નાટુ-નાટુ ગીત ગાયું હતું. આ સિવાય તેણે આ ગીત પર જોરદાર ડાન્સ પણ કર્યો હતો.

PM મોદીએ ટ્વિટ કરી શું કહ્યું?
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “અસાધારણ કામિસેટ્ટી વેંકટ પ્રતિભા અને યુવા ઊર્જાનું પાવરહાઉસ છે. તેણે ઓટીઝમને પોતાના પર હાવી થવા ન દીધું અને ગાવાનું ચાલુ રાખ્યું. તેણે નાટુ-નાટુ ગાયું અને ડાન્સ પણ કર્યો, હું તેની ધીરજને સલામ કરું છું.

PM મોદી શનિવારે તેલંગાણાના વારંગલમાં 6,100 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. વારંગલ શહેરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અહીંના પ્રખ્યાત ભદ્રકાલી મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા પણ કરી હતી. આ સાથે પીએમે મંદિરમાં ઘણો સમય વિતાવ્યો હતો.

આ દરમિયાન તેમણે વારગલમાં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. તેઓ વારંગલમાં જ કામિસેટ્ટી વેંકટને મળ્યા હતા. વેંકટને મળ્યા પછી તેને તેની પ્રતિભાની ખાતરી થઈ. તેમણે વેંકટને ગળે લગાડ્યો અને તેને ઉગ્રતાથી પ્રોત્સાહન આપ્યું. PM મોદીએ વારંગલમાં ડાબેરી હિંસામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારોને પણ મળ્યા હતા.

ઓટીઝમ રોગ શું છે?
ઓટીઝમ જે તબીબી રીતે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે એક વિકાસલક્ષી વિકાર છે જે સંચાર, વૃદ્ધિ, લેખન અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયામાં સમસ્યાઓનું કારણ બને છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તેનાથી પીડિત વ્યક્તિનું મગજ અન્ય લોકોના મગજની તુલનામાં અલગ રીતે કામ કરે છે. ઓટીઝમથી પીડિત લોકોમાં વિવિધ લક્ષણો જોવા મળે છે. 

ઓટીઝમના લક્ષણો ક્યારે દેખાય છે?
આ રોગના લક્ષણો સામાન્ય રીતે 12 થી 18 મહિનાની ઉંમરે દેખાય છે. કેટલીકવાર તેઓ આ પહેલા પણ જોવા મળે છે, જે સામાન્ય કરતા ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે 2 વર્ષની આસપાસ બાળકને ઓટીઝમ હોવાનું નિદાન થાય છે. પરંતુ કેટલીકવાર જ્યારે બાળક શાળાએ જાય છે અથવા કિશોર બને છે ત્યારે ખબર પડે છે કે તે ઓટીસ્ટીક છે. અત્યાર સુધી ઓટીઝમના ચોક્કસ કારણો જાણી શકાયા નથી.

જોકે વિવિધ અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ વિકૃતિઓ આનુવંશિક અને પર્યાવરણીય કારણોસર હોઈ શકે છે. કેટલાક અભ્યાસોમાં તે સામે આવ્યું છે કે, નિદાન અને હસ્તક્ષેપ સારવાર સેવાઓની પ્રારંભિક મદદ ઓટીસ્ટીક લોકોને સામાજિક વર્તન અને નવી કુશળતા શીખવામાં મદદ કરે છે. આના દ્વારા તેઓ પોતાનું જીવન વધુ સારી રીતે જીવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kamisetty Venkat PM modi news ઓટિઝમ કામિસેટ્ટી વેંકટ તેલંગાણા Kamisetty Venkat PM Modi News
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ