બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Who Is Arjun Deshpande Of Generic Aadhaar Pharma Company, Who Make A Deal With Ratan Tata

ચર્ચા / 2 વર્ષ જૂની કંપની, 18 વર્ષના ફાઉન્ડરની કંપનીમાં રતન ટાટાએ કર્યુ મોટુ રોકાણ

Published By: Juhi

Last Updated: 07:19 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રતન ટાટા જેવા મોટા બિઝનેસમેન કોઇ કંપનીમાં રોકાણ કરે છે તો તમે અંદાજો લગાવી શકો છો કે એ કંપની એવું તો શું કામ કરતી હશે. પરંતુ વાસ્તવમાં એક નાની કંપનીમાં તેમણે તાજેતરમાં જ રોકાણ કર્યુ, જે માત્ર 2 વર્ષ જૂની છે. આ એક સ્ટાર્ટઅપ છે, જેણે મુંબઇના યુવક અર્જૂન દેશપાંડેએ શરૂ કર્યુ છે. આ સ્ટાર્ટઅપ છે જેનરિક આધાર. આમ તો સ્પષ્ટતા નથી કે કેટલામાં ડીલ કરી છે પરંતુ કહેવાઇ રહ્યુ છે કે રતન ટાટાએ 50 % ભાગ ખરીદી લીધો છે. જાણીએ આ વિશે વધારે..

કોણ છે અર્જૂન દેશપાંડે 

અર્જૂનની ઉંમર માત્ર 18 વર્ષની છે, જેણએ દવાઓની બિઝનેસ કરતી કંપની જેનરિક આધાર શરૂ કરી છે. જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે આ કંપનીની શરૂઆત કરી હતી. 

કેવી રીતે કામ કરે છે અર્જૂનની કંપની

આ કંપની મેન્ચુફેક્ચરર્સની પાસેથી સામાન લઇને રિટેલર્સને વેચે છે, આજ કારણે રિટેલર્સની કમાણી લગભગ 20 % વધી ગઇ છે. વર્તમાનના આ કંપનીની રેવેન્યૂ 6 કરોડ રૂપિયા છે પરંતુ આગામી 3 વર્ષોમાં તેણે 150-200 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 

માં ની પાસેથી મળી પ્રેરણા 

અર્જૂનને પોતાની માતાથી પ્રેરણા છે, જે ઇન્ટરનેશનલ ફાર્મા બિઝનેસથી જોડાયેલા છે. પોતાની સ્કૂલની રજામાં તે અમેરિકા, વિયેતનામ, ચીન અને દુબઇ જેવા દેશોમાં જતો હતો, જે દરમિયાન આ અંગે વિચાર આવ્યો. તે ઘણા ડિસ્ટ્રીબ્યૂટર્સ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે મળતો હતો, જેથી તેણે ખબર પડી કે અન્ય દેશોમાં સસ્તી દવાઓ મળે છે. જ્યારે માં ને પૂછ્યુ કે ભારતમાં દવાઓ કેમ મોંઘી હોય છે તો ખબર પડી કે ભારતમાં મોટેભાગે જેનરિક દવાઓની બ્રાન્ડની મદદથી પ્રમોટ કરવામાં આવે છે, જેથી તે મોંઘી હોય છે. 

અર્જૂનનું શું છે મિશન

જેનરિક કંપની મદદથી અર્જૂન એક મિશન પર કામ કરે છે. તે ઇચ્છે છે કે વુદ્ઘો તથા પેન્શનમેળવતા લોકોને જરૂરિયાતની દવાઓ ઓછી કિંમતે મળી જોઇએ. લગભગ 60 %  વસ્તી મોઁઘી દવાઓ હોવાથી નથી ખરીદતી. જેથી કિંમત ઘટાડવી જોઇએ. 

એક વર્ષની અંદર જેનરિક આધારની હેઠળ 1000 ફેન્ચાઇઝી સ્ટોર ખોલવાની ઇચ્છા છે. અમે વેપારનો વિસ્તાર મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હી સુધી કરીશું.

 

યૂનિક આઈડિયા

આઇડિયા યૂનિક છે, જેથી રતન ટાટા જેવા બિઝનેસમેને તેની કંપનીમાં રોકાણ કર્યુ છે. 

પીએમ કેરમાં દાન કરી 3 મહિનાની સેલેરી 

ઉલ્લેખનીય છે કે, કોરોનાના જંગમાં પીએમ કેર્સ ફંડમાં 3 મહિનાની સેલેરી આપી છે. આ સમયે પણ અર્જૂન ખૂબ  જ ચર્ચા થઇ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Pharma Company Arjun Deshpande India Investment Ratan Tata Rumors

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ