બ્રેકિંગ ન્યુઝ
VTV / What is the rules of changing torn currency from bank
Last Updated: 10:13 AM, 8 November 2021
ADVERTISEMENT
નોટ બદલવાની ના પાડે તો શું?
રિઝર્વ બેન્ક ફાટેલી નોટને બદલવા માટે કેટલાક નિયમો બહાર પાડ્યા છે. દેશમાં કોઇ પણ બેન્ક ફાટેલી નોટો બદલવાની ના ન પાડી શકે. નોટ જેટલી ખરાબ હાલતમાં હશે તેટલી તેની કિંમત ઓછી થઇ જશે.

ADVERTISEMENT
શું કહે છે નિયમ?
જો તમારી પાસે 5,10,20,50 જેવા નાના મૂલ્યોની ફાટેલી નોટ છે તો તેનો ઓછામાં ઓછો 50% જેટલો હિસ્સો હોવો જરૂરી છે. આવું હશે તો જ તમને સંપૂર્ણ મૂલ્ય મળશે. જો 50 ટકા કરતાં ઓછી નોટ હશે તો તમને કંઇ પણ નહી મળે. જો તમારી પાસે 20થી વધારે ફાટેલી નોટો છે અથવા તેનું મૂલ્ય 5000 રૂપિયાથી વધારે છે તો ટ્રાંજેક્શન ફીસ પણ આપવાની રહેશે.
જ્યારે નોટની હાલત એટલી ખરાબ થઇ જાય છે કે નોટ બજારમાં ચાલતી નથી. આવી નોટોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ચલણમાંથી બહાર કરી નાખે છે અથવા પાછી લઇ લે છે.
ADVERTISEMENT
.jpg)
ફાટેલી નોટોના કરવામાં આવે છે ટુકડા
ADVERTISEMENT
બજારમાં ના ચાલતી નોટોનું શું થાય છે તે અંગે જાણવાની દરેક લોકોને જિજ્ઞાસા હોય છે. આવો, જાણીએ કે આ ફાટેલી નોટોનું આરબીઆઈ શું કરે છે. દરેક નોટોનું એક આયુષ્ય હોય છે. જેનો અંદાજ આરબીઆઈ નોટની પ્રિન્ટિંગ વખતે લગાવી લે છે. નોટનું આયુષ્ય પૂર્ણ થયા બાદ આરબીઆઈ તેને પાછી લઇ લે છે. જેને બેંકો દ્વારા ભેગી કરવામાં આવે છે અને પછી નોટોના નાના-નાના ટુકડા કરવામાં આવે છે. જોકે, પહેલાં આ નોટોને બાળી નાખવામાં આવતી હતી. પરંતુ પર્યાવરણની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે નોટોને રિસાઈકલ કરવામાં આવે છે.
એક રૂપિયાની નોટ નથી છાપતું RBI
ADVERTISEMENT
ભારતમાં ચાલતી બધી કરન્સી નોટ પછી તે સિક્કા હોય કે નોટ, દરેક નોટ આરબીઆઈ છાપે છે. આરબીઆઈની પાસે 10 હજાર રૂપિયા સુધીની નોટ છાપવાનો અધિકાર છે, પરંતુ 1 રૂપિયાની નોટ ભારત સરકાર જ છાપે છે. આ ઉપરાંત ક્યારે કેટલી નોટ છાપવાની છે. તેની સ્વીકૃતિ પણ આરબીઆઈએ ભારત સરકાર પાસેથી લેવી પડે છે. જોકે, આ અંગે સરકાર પોતાનો નિર્ણય આરબીઆઈની સલાહ બાદ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.