બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli says 2 team india is the future due to bio bubble situation

ક્રિકેટ / ક્રિકેટરસીયાઓ માટે મોટા સમાચાર: શું ભારતીય ટીમમાં 2 કેપ્ટન હશે ? કોહલીએ આપ્યા મોટા સંકેત

Published By: Noor

Last Updated: 09:07 AM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે સંકેત આપ્યો હતો કે કોરોના મહામારીને કારણે ક્રિકેટરોને માનસિક રીતે થકાવી દેનાર બાયો બબલમાં રહેવા મજબૂર છે, જેથી આગામી સમયમાં બે જુદા જુદા સ્થળોએ બે ભારતીય ટીમોનું રમવું સામાન્ય બની જશે.

  • ક્રિકેટને લઈને આવ્યા મોટા સમાચાર
  • ભારતીય ટીમમાં 2 કેપ્ટન હશે
  • કોરોનાને કારણે થઈ શકે છે આ બદલાવ

કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે રવાના થશે. સાથે જ સેકન્ડ ગ્રુપ ભારતીય ટીમ જુલાઈમાં મર્યાદિત ઓવરની શ્રેણી રમવા માટે શ્રીલંકા જશે.

કોહલીએ કહ્યું કે, ખેલાડીઓને માત્ર કામના ભારને મેનેજ કરવા માટે જ નહીં પણ બાયો બબલથી થતા માનસિક થાકમાંથી પણ બહાર નીકળવા માટે બ્રેકની જરૂર છે. તેણે ભારતથી ઈંગ્લેન્ડ જતા પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વર્તમાન બંધારણ અને લાંબા સમયથી જે પ્રકારના માળખામાં અમે રમી રહ્યાં છે, તેમાં ખેલાડીઓનો જુસ્સો જાળવી રાખવો અને માનસિક સ્થિરતા મેળવવી મુશ્કેલ છે. તેણે કહ્યું, 'તમે એક જ વિસ્તારમાં કેદ છો અને દરરોજ એક સરખા રૂટિનનું પાલન કરો છો. આવી સ્થિતિમાં, ભવિષ્યમાં એક જ સમયે બે ટીમો જુદી જુદી જગ્યાએ રમવાનું સામાન્ય બનશે. જો બે જુદી જુદી ટીમો રમશે, તો તેનો અર્થ એ છે કે, ટીમ ઈન્ડિયામાં પણ બે કેપ્ટન હશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાની બે ટીમો જુદા જુદા સ્થળો પર રમશે તે જોવાનું બાકી રહ્યું.

માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે જરૂરી

ભારતીય ટીમને મુંબઈમાં 14 દિવસ ક્વોરન્ટાઈનરહેવું પડ્યું હતું અને યુકે પહોંચ્યા પછી પણ તેને અલગ રહેવું પડશે. જે એટલું અઘરું નહીં હોય. વિશ્વભરના ખેલાડીઓએ બાયો બબલમાં ટૂર્નામેન્ટ્સ રમવાના પડકારો વિશે વાત કરી છે. કોહલીએ કહ્યું, 'કામના ભાર ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે.' તેણે કહ્યું, 'આજના યુગમાં જ્યારે તમે મેદાનમાં જાઓ છો અને રૂમમાં પાછા ફરો છો, ત્યારે તમારી પાસે એવી કોઈ જગ્યા નથી કે, જ્યાં તમે રમતથી દૂર રહી શકો. તમે ફરવા જઇ શકો છો અથવા બપોરના ભોજન અથવા કોફી માટે બહાર જઇ શકો. 'કોહલીએ કહ્યું,' આ એક મોટું પાસું છે જેને અવગણી શકાય નહીં. અમે આ ટીમ બનાવવા માટે સખત મહેનત કરી છે અને અમે નથી ઈચ્છતા કે, માનસિક દબાણ ખેલાડીઓ પર અસર કરે. 

કોહલીએ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પાસાં જોઈને બ્રેકની માંગ કરતા ખેલાડીઓનું સમર્થન પણ કર્યું. તેણે કહ્યું, હંમેશાં એવું માધ્યમ હોવું જોઈએ જેના દ્વારા ખેલાડીઓ મેનેજમેન્ટને કહી શકે કે, તેમને બ્રેકની જરૂર છે. આ એક મોટું પાસું છે અને મને ખાતરી છે કે, મેનેજમેન્ટ તેને સમજે છે.     

બાયો બબલ દરમિયાન પાંચ ટેસ્ટ રમવી એ કોઈ મજાક નથી: શાસ્ત્રી

કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે હાલનું શેડ્યૂલ અને ખેલાડીઓનું કામ મુશ્કેલ બનાવ્યું છે. તેમણે કહ્યું, 'આ ફક્ત વર્લ્ડ ચેમ્પિયનશીપની જ વાત નથી, પરંતુ આ વાતાવરણમાં છ અઠવાડિયામાં પાંચ ટેસ્ટ રમવી મજાક નથી.' તેમણે કહ્યું, 'સૌથી ફિટ ખેલાડીઓને પણ બ્રેકની જરૂર પડશે. માનસિક પાસાને અવગણી શકાય નહીં. '

સંકળાયેલા મુદ્દાઓ

Team India Virat Kohli bio bubble situation Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ