બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ-થરાદમાં સામાજિક બંધારણનો પ્રભાવ, લગ્ન પ્રસંગો બન્યા સરળ અને ખુશહાલ
Last Updated: 10:58 PM, 11 May 2026
વાવ તાલુકાના અરંટવા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ગેનીબેન ઠાકોર એ ઠાકોર સમાજના બંધારણ અને સમાજ સુધાર માટે કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT

ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો આજે ઠેર ઠેર અમલ થઈ રહ્યો છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે.” તેમણે ઉમેર્યું કે, બંધારણ બન્યા પહેલાં લગ્ન પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચા, જમીનના ટુકડા મૂકવાની પ્રથા અને દેખાવનો માહોલ જોવા મળતો હતો, પરંતુ હવે સાદગીપૂર્ણ લગ્ન પ્રસંગોથી ખર્ચાઓ પર નોંધપાત્ર અંકુશ આવ્યો છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, સમાજમાં લાવવામાં આવેલા નિયમોના કારણે લગ્ન પ્રસંગોમાં દારૂ જેવી બદીમાં ઘટાડો થયો છે અને દારૂડિયા લોકો જોવા મળતા નથી. ઉપરાંત, DJ બંધ કરવાની પરંપરાથી બહેન-દીકરીઓ અને વહુવારીઓ સંબંધિત અનેક પ્રશ્નોમાં પણ નિયંત્રણ આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે, “ઠાકોર સમાજના બંધારણથી પ્રેરાઈ અન્ય સમાજોએ પણ સારા અને સંસ્કારપૂર્ણ બંધારણો બનાવવાની શરૂઆત કરી છે, જે સમગ્ર સમાજ માટે સકારાત્મક પરિવર્તન છે.”
આ પણ વાંચોઃ પ્રેમમાં નાસીપાસ યુવકનો આપઘાતનો પ્રયાસ, દોરી તૂટી જતાં નીચે પટકાયો યુવક
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ એકતા, શિક્ષણ અને સામાજિક સુધાર માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અરંટવા ગામનો આ પ્રસંગ સમાજમાં સાદગી, સંસ્કાર અને સુવ્યવસ્થિત પરંપરાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.