બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

ધન સાથે જોડાયેલી સમસ્યાઓ
ADVERTISEMENT
ઘરની સારી રીતે સાફ સફાઇ કરવી ખુબ જરુરી હોય છે. ઘર સ્વચ્છ અને સુઘડ હોય તો બીમારીઓ દુર થવાની સાથે લક્ષ્મી માતાની કૃપા જળવાઇ રહે છે. આવા સંજોગોમાં જે ઘરમાં ગંદકી અને કરોળિયાના જાળા હોય ત્યાં પૈસા ટકતા નથી. આ સાથે ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કરોળીયા હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી.
નેગેટિવિટી
ADVERTISEMENT
જે ઘરની દિવાલો કે છતો પર કરોળીયાના જાળા લાગેલા હોય છે, ત્યાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવા સંજોગોમાં તેની ખરાબ અસર ઘરના લોકોના આરોગ્ય પર પણ પડે છે. ઘરના સભ્યો વચ્ચે અંદરોઅંદર ઝઘડા થાય તેવુ પણ બની શકે છે.
તણાવ
ADVERTISEMENT
ઘર પર ઘણા દિવસો સુધી કરોળિયાના જાળા હોય તો તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરના સભ્યો વચ્ચે મનભેદોનુ પણ તે કારણ બની શકે છે. આવા સંજોગોમાં તમામ મેમ્બર્સના સ્વભાવમાં ચિડિયાપણુ ફીલ થાય છે. તે તણાવનુ કારણ બને છે.

ADVERTISEMENT
નિષ્ફળતાઓનો સામનો
શાસ્ત્રો મુજબ જે ઘરમાં કરોળીયાના જાળા દેખાતા હોય તે ઘર હંમેશા સંકટોથી ઘેરાયેલુ રહે છે. તે ઘરના સભ્યોએ હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે, તેમને દરેક કામ કરવામાં સંકોચ થાય છે. તેમની આસપાસ સતત નિષ્ફળતાઓ ફરતી રહે છે.
ADVERTISEMENT
દુર્ભાગ્યનુ કારણ
ઘરમાં જ્યારે પણ કરોળિયાના જાળા દેખાય તો તેને તરત સાફ કરી લો. આમ ન કરવાથી નિષ્ફળતાઓની સાથે દુર્ભાગ્ય અને પૈસાની તકલીફો આવતી જ રહે છે. કરોળિયાના જાળા તમને નાની વાત લાગતી હોય, પરંતુ તેને ઘરમાંથી તાત્કાલિક સાફ કરવા જરુરી છે. સ્વચ્છ અને સુંદર ઘરમાં જ લક્ષ્મીજીનો વાસ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.