બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં બીજા દિવસે પણ જળપ્રલય: હાઈવે પર 20 KM લાંબો ટ્રાફિકજામ; ટ્રેનો બંધ થતાં મુસાફરો અટવાયા

મુસીબત / વલસાડમાં બીજા દિવસે પણ જળપ્રલય: હાઈવે પર 20 KM લાંબો ટ્રાફિકજામ; ટ્રેનો બંધ થતાં મુસાફરો અટવાયા

Published By: Bhavin Rawal

Last Updated: 09:24 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદની સૌથી મોટી અસર હવે વલસાડની કનેક્ટિવિટી પર જોવા મળી રહી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. નવસારીથી મુંબઈ તરફ જતા ટ્રેક પર વાહનોની લાંબી કતારો લાગી છે. મળતી માહિતી મુજબ, 20 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઈન લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા છે અને અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સર્જેલા જળપ્રલયની અસર આજે પણ યથાવત છે. વલસાડ જિલ્લામાં ગઈકાલના ભારે વરસાદ બાદ આજે પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યું નથી. ઉમરગામ, વાપી, સલવાવ સહિતના વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. એક તરફ પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો લોકોને સલામત સ્થળે ખસેડવા માટે દિવસ-રાત રેસ્ક્યૂ કરી રહી છે, તો બીજી તરફ હવે એવા વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે બોટ પણ પહોંચી શકતી નથી. બીજી તરફ ભારે વરસાદની સીધી અસર રેલવે અને રોડ કનેક્ટિવિટી પર પડી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે, જ્યારે ટ્રેનો રદ અને ડાયવર્ટ થતાં મુસાફરો પણ રસ્તામાં અટવાયા છે.

વલસાડમાં રેસ્ક્યૂ ઓપરેશન તેજ, NDRFના જવાનો બન્યા 'દેવદૂત'

વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF અને SDRFની ટીમો અનેક સ્થળોએ પહોંચી લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. પૂરનાં પાણીમાં ફસાયેલી બસના છત પર આશરો લેનારા 10થી વધુ લોકોને પણ રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ અનેક વિસ્તારોમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે. વહીવટી તંત્ર, પોલીસ, ફાયર વિભાગ અને રેસ્ક્યૂ ટીમો સતત ફિલ્ડમાં કામગીરી કરી રહી છે.

બોટ પણ ન પહોંચી શકી, યુવક વીજ થાંભલા પર ચઢ્યો; હેલિકોપ્ટરે બચાવ્યો

વલસાડના સલવાવ વિસ્તારમાં પૂરનાં પાણી વચ્ચે એક યુવકનો જીવ બચાવવા માટે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે NDRFની બોટ પણ યુવક સુધી પહોંચી શકતી નહોતી. અંતે દમણથી કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, જીવ બચાવવા માટે યુવક પાણીથી ઘેરાયેલા વીજ થાંભલા પર ચઢી ગયો હતો અને મદદની રાહ જોઈ રહ્યો હતો. બાદમાં હેલિકોપ્ટરની મદદથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

ઉમરગામમાં વરસાદનો કહેર, રસ્તા અને પુલને પણ નુકસાન

ઉમરગામમાં અતિભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 1,000 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાઓ અને પુલને પણ નુકસાન થયું છે. વરોલી નદી પરના પુલના ભાગને નુકસાન થતાં માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. વલસાડ જિલ્લામાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર થઈ છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 20 કિમી લાંબો ટ્રાફિકજામ

ભારે વરસાદની સૌથી મોટી અસર હવે વલસાડની કનેક્ટિવિટી પર જોવા મળી રહી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. નવસારીથી મુંબઈ તરફ જતા ટ્રેક પર વાહનોની લાંબી કતારો લાગી છે. મળતી માહિતી મુજબ, 20 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઈન લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા છે અને અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા છે. અધવચ્ચે અટવાયેલા મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે ટ્રેક પર પાણી, અમદાવાદ-મુંબઈ રૂટ ખોરવાયો

વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ પડી છે. વલસાડ અને મુંબઈ વચ્ચેના અનેક રેલવે બ્રિજ પર પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચતા ટ્રેન વ્યવહારને નિયંત્રિત કરવો પડ્યો હતો. પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેનો રદ, ડાયવર્ટ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર અમદાવાદ-મુંબઈ રૂટની મોટી સંખ્યામાં ટ્રેનોને અસર થઈ છે. વંદે ભારત, શતાબ્દી, કર્ણાવતી સહિતની મહત્વની ટ્રેનો પણ અસરગ્રસ્ત બની છે. પરિણામે રેલવે સ્ટેશનો પર મુસાફરોની મુશ્કેલી વધી છે અને કનેક્ટિવિટી ખોરવાતા લોકો રસ્તા પર પણ અટવાયા છે.

વાપીમાં પાણીમાં ગરકાવ કારો, અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ

વલસાડ જિલ્લાના વાપીમાં પણ ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. ગુંજન સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં પાર્કિંગમાં ઊભેલી અનેક કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ઘરો અને રહેણાક વિસ્તારો સુધી પાણી પહોંચ્યું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક સ્થળોએ વીજ પુરવઠાને પણ અસર થઈ છે. સતત વરસાદના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ બીજા દિવસે પણ નવસારીમાં મેઘતાંડવ: પૂર્ણા-અંબિકા-કાવેરી નદીઓ ભયજનક સપાટી નજીક/ઉપર, બીલીમોરા-કાછીયાવાડી બેટમાં ફેરવાયા; 6 NDRF ટીમ તૈનાત

12 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

વલસાડ જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ, ગુરુવારે વલસાડ જિલ્લામાં 12,754 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હિંગલાજ ગામમાં પાણીમાં ફસાયેલા 20 કામદારોને SDRFની ટીમે બચાવ્યા હતા, જ્યારે નાનાપોઢા તાલુકાના આંભેટી પાસે પાણીમાં ફસાયેલી બસના મુસાફરોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ NDRF, SDRF, પોલીસ અને ફાયર વિભાગની ટીમો સતત રેસ્ક્યૂ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે.

હવે સૌથી મોટો સવાલ: પાણી ક્યારે ઓસરશે અને કનેક્ટિવિટી ક્યારે શરૂ થશે?

વલસાડમાં આજે પણ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. એક તરફ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે, તો બીજી તરફ હાઈવે પર ટ્રાફિકજામ અને રેલવે વ્યવહાર ખોરવાતા દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી પર મોટી અસર પડી છે. તંત્રની ટીમો સતત પાણીના સ્તર અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જ્યાં NDRFની બોટ પહોંચી શકતી નથી ત્યાં હેલિકોપ્ટર રેસ્ક્યૂનો સહારો લેવાઈ રહ્યો છે. હવે વલસાડના લોકો માટે સૌથી મોટો સવાલ એ છે કે વરસાદ અને પૂરના પાણીમાંથી આ જળપ્રલય ક્યારે બહાર આવશે અને જનજીવન ક્યારે ફરી સામાન્ય બનશે.

સંકળાયેલા મુદ્દાઓ

Valsad Rain Rain Forecast Ahmedabad Mumbai Highway

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ