બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Tragedy Shocking revelations about boating contract, name of inexperienced food company surfaced
Last Updated: 08:46 AM, 19 January 2024
ADVERTISEMENT
Vadodara Harani lake boat incident: ગુજરાત માટે તારીખ 18 જાન્યુઆરીનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કારણ કે, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ. અને જોત-જોતામાં માસૂમોના મોતની ચીચીયારીઓ ગુંજી ઊઠી. કાંઠે અનેક લોકો હતા. પરંતુ કોઈ કાંઈ ન કરી શક્યું અને બેજવાબદાર તંત્રની લાપરવાહીના કારણે માસૂમોનો ભોગ લેવાઈ ગયા ત્યારે આ દુર્ઘટના મામલે કેટલાક ખુલાસા પણ થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, મોરબી દુર્ઘટના જેવી જ બેદરકારી દાખવી.
ADVERTISEMENT
કોટિયા ફૂડ પ્રાયવેટ લિમિટેડે કોન્ટ્રાક્ટ અપાયો હતો
અત્રે જણાવીએ કે, બિનઅનુભવી કંપનીને બોટિંગનું કામ સોપાયું હતું. જે કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો તેને જ બોટિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો. કોટિયા ફૂડ પ્રાયવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ત્યારે આ જ ફૂડ કંપનીને બોટિંગની પણ જવાબદારી સોપી દેવાઈ હતી. જો કે, કંપારી છૂટાવી દેનારી આ ઘટનાને પગલે કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બિનિત કોટિયા રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચા છે, રાજકીય વગના કારણે તેમની કંપનીને કોન્ટ્રાક્ટર મળ્યો હોવાનો ખુલાસો થયો છે.
જાણો સમગ્ર દુર્ઘટના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલાની જાણકારી મળતાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે.
વાંચવા જેવું: વડોદરા બોટ ટ્રેજેડી: મોતનો આંક 17એ પહોંચ્યો, 18 વિરૂદ્ધ ગુનો દાખલ, સ્કૂલ પ્રિન્સિપાલના ઘર બહાર ચુસ્ત બંદોબસ્ત
સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો ?
પાપ્ત વિગતો મુજબ હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેના માલિક પરેશ શાહ હાવાની સૂત્રો પાપ્ત વિગતો છે. આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે આ નિલેશ શાહે વળી કોઈ ત્રીજા જ વ્યક્તિને બારોબારીયું કર્યું હતું તેવી વિગતો સામે આવી છે. આ બધાની વચ્ચે ઘટનાસ્થળે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.