બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો ખાસ વાંચી લેજો, સરકારે કરોડો યુઝર્સને આપી ચેતવણી
Last Updated: 06:03 PM, 6 September 2025
ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In (Indian Computer Emergency Response Team) એ તાજેતરમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુજર્સઓ માટે એક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીમાં જણાવાયું છે કે એન્ડ્રોઇડના નવા વર્ઝન પર ચાલતા ઉપકરણોમાં ગંભીર સુરક્ષા ખામીઓ જોવા મળી છે. આ ખામીઓને યુનિક CVE (Common Vulnerabilities and Exposures) આઇડેન્ટિફાયર હેઠળ નોંધવામાં આવી છે અને તે બધીને હાઇ સિક્યોરિટી કેટેગરીમાં મૂકવામાં આવી છે. આનો અર્થ એ છે કે જો આ ખામીઓ સમયસર ઠીક નહીં કરવામાં આવે, તો હેકર્સ સરળતાથી સ્માર્ટફોન પર હુમલો કરી શકે છે.
ADVERTISEMENT

કયા વર્ઝન પર અસર?
ADVERTISEMENT
CERT-In ના અહેવાલ મુજબ, આ ખામીઓ એન્ડ્રોઇડ 13, એન્ડ્રોઇડ 14, એન્ડ્રોઇડ 15 અને એન્ડ્રોઇડ 16 વર્ઝનને અસર કરે છે. એજન્સીએ જણાવ્યું છે કે આ ખામીઓ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ ભાગોમાં જોવા મળી છે, જેમાં ફ્રેમવર્ક, એન્ડ્રોઇડ રનટાઇમ, સિસ્ટમ, વાઇડવાઇન DRM, પ્રોજેક્ટ મેઇનલાઇન, કર્નલ, ક્વોલકોમ, મીડિયાટેક અને અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. આટલા બધા સ્તરો પર ખામીઓ હોવાથી જોખમનું પ્રમાણ વધી ગયું છે.
જોખમ કેટલું ગંભીર?
ADVERTISEMENT
CERT-In નું કહેવું છે કે જો આ ખામીઓનો સફળતાપૂર્વક દુરુપયોગ કરવામાં આવે, તો હેકર્સ ફોનનો ડેટા ચોરી શકે છે, ઉપકરણને ક્રેશ કરી શકે છે, મનફાવે તેવું કોડ ચલાવી શકે છે અથવા સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. સાદી ભાષામાં, તમારો સ્માર્ટફોન અને તેમાંની વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે અસુરક્ષિત થઈ શકે છે. આવા હુમલાઓથી બેંકિંગ વિગતો, વ્યક્તિગત ફોટા, સંદેશા અને અન્ય સંવેદનશીલ માહિતી હેકર્સના હાથમાં જઈ શકે છે.

ADVERTISEMENT
શું છે ઉકેલ?
ગૂગલે આ ખામીઓને ઠીક કરવા માટે તાત્કાલિક સુરક્ષા પેચ જાહેર કર્યો છે. જોકે, ગૂગલ સીધા રીતે તમામ યુજર્સઓ સુધી આ અપડેટ પહોંચાડી શકતું નથી, કારણ કે વિવિધ સ્માર્ટફોન કંપનીઓ જેમ કે સેમસંગ (One UI), વનપ્લસ (OxygenOS), શાઓમી (HyperOS) અને અન્ય તેમની કસ્ટમ સ્કિન સાથે અપડેટ રોલઆઉટ કરે છે. આથી, આ કંપનીઓની જવાબદારી છે કે તેઓ આ પેચને ઝડપથી વપરાશકર્તાઓ સુધી પહોંચાડે.
ADVERTISEMENT
યુજર્સએ શું કરવું?
જો તમારા ફોન પર નવું સુરક્ષા અપડેટ આવી ગયું હોય, તો તેને તાત્કાલિક ઇન્સ્ટોલ કરવું ખૂબ જ જરૂરી છે. આ અપડેટ ઇન્સ્ટોલ કરવાથી તમારો ફોન સુરક્ષિત રહેશે અને સાયબર હુમલાઓથી બચી શકશે. CERT-In ની આ ચેતવણીનો સીધો સંદેશ એ છે કે સમયસર અપડેટ ન કરવાથી તમારું ઉપકરણ હેકર્સના નિશાના પર આવી શકે છે.
ADVERTISEMENT

શું ધ્યાન રાખવું?
વધુમાં વાંચો: તમારી 5 ભૂલથી SIPમાં કોઈ ફાયદો નહીં મળે, કરોડપતિ બનવાનું સપનું થશે ચકનાચૂર
આ ચેતવણી દરેક એન્ડ્રોઇડ વપરાશકર્તા માટે ગંભીર છે. સમયસર પગલાં લઈને તમે તમારા સ્માર્ટફોન અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.