બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે નહીં રહે કોઇ બેરોજગાર! સરકારની આ સ્કીમ તમને અપાવશે નોકરી, જાણો વિગત
Last Updated: 01:00 PM, 2 July 2025
કેન્દ્ર સરકાર દેશના લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ સરકારી યોજનાઓનો લાભ દેશના વિવિધ વર્ગના લોકો મેળવે છે. દેશમાં બેરોજગારીનો દર ખૂબ વધી રહ્યો છે. જે યુવાનો અભ્યાસ બાદ નોકરી મેળવવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ભારત સરકારે 1.07 લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
આ યોજનાથી આગામી બે વર્ષમાં દેશભરમાં 3.5 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. પહેલી વાર નોકરી કરી રહેલા કર્મચારીઓને સરકાર તરફથી પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા નોકરી કેવી રીતે મેળવવી અને તેમાં કોણ અરજી કરી શકે છે તે જાણીએ.
ADVERTISEMENT

તો સાથે તે કંપનીઓને વધુ નોકરીઓનું સર્જન કરવા માટે 2 વર્ષ માટે અલગથી પ્રોત્સાહન આપવામાં આવશે. એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈંસેટિવ યોજના હેઠળ આગામી 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીઓનું સર્જન થશે. જેમાંથી 1.92 કરોડ લાભાર્થીઓને પહેલી વાર નોકરી મળશે. આ યોજના 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 દરમિયાન સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.