બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / મતદાન કરનાર લોકોને મળશે આ 3 મોટા લાભ, જાણો કયા ઠેકાણે કરાઈ જાહેરાત

નવતર પ્રયોગ / મતદાન કરનાર લોકોને મળશે આ 3 મોટા લાભ, જાણો કયા ઠેકાણે કરાઈ જાહેરાત

Vishal Khamar

Last Updated: 07:13 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થશે. જેમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે તે માટે અનેક સંસ્થાઓ પણ નવતર પ્રયાસ કરે છે. ક્લબ, પેટ્રોલ પંપ તેમજ સહકારી મંડળીઓ દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદના ખ્યાતનામ કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ દ્વારા મતદાન જાગૃતિ માટે એક નવો અભિગમ હાથ ધર્યો છે. મતદાન જાગૃતિ માટે કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબનો પ્રયાસના માટે મતદાન કરેલ ક્લબ મેમ્બર ને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ત્રણ દિવસ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં આવેલ તમામ રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ મતદાન કરેલ મેમ્બરને ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 15 હજાર ફેમીલી મેમ્બર છે તમામ ને લાભ આપવામાં આવશે. ચૂંટણીના દિવસથી ત્રણ દિવસ સુધી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટેલે કે આગામી ૨૬, ૨૭, અને ૨૮ એપ્રિલના રોજ મતદાન કરેલ ક્લબના સભ્યોને ૨૫ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવશે.

મતદાન કરનારા સભાસદને 1% વ્યાજમાંથી રાહત

મતદાન જાગૃતિ માટે વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મતદાન કરનારા સભાસદને 1 ટકા વ્યાજમાંથી રાહત આપવામાં આવશે. મતદાન કરનારા લોનધારક સભાસદને સહકારી મંડળી વ્યાજમાંથી 1 ટકા રાહત આપશે. લોનધારક અને ગેરંન્ટર બંનેએ મતદાન કર્યું હશે તો યોજનાનો લાભ મળશે. સરકારી મંડળીમાં FD કરાવનારા સભાસદને 0.50 ટકા વ્યાજ વધુ મળશે. છેલ્લા 10 વર્ષથી મતદાન વધારવા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી સ્કીમ રાખે છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના પ્રમુખે અન્ય સંસ્થાને પણ આવી સ્કીમ લાગુ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ મતદાન કરો અને પેટ્રોલમાં 5 રુપિયાની છૂટ, ગુજરાતમાં આ ઠેકાણે પેટ્રોલ પંપે કરી અનોખી પહેલ

મતદાનને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ

પોરબંદરના રાણાવાવમાં મતદાનને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપે મતદારો માટે આકર્ષક ઓફર જાહેર કરી છે. મતદાન કર્યાનું નિશાન બતાવનારને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. મતદાન કર્યાનું નિશાન બતાવો અને પેટ્રોલમાં 5 રૂપિયાની છૂટ મેળવો. પેટ્રોલ પંપ સંચાલક તરફથી મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

voting Karnavati Club Local government elections
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ