બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મોટા સમાચાર : મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું અવસાન થતાં ચારે તરફ શોક, કેન્સર સામેનો જંગ હાર્યાં

શોકની ખબર / મોટા સમાચાર : મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું અવસાન થતાં ચારે તરફ શોક, કેન્સર સામેનો જંગ હાર્યાં

Hiralal Parmar

Last Updated: 02:10 PM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોરંજન જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. મહાભારતમાં કર્ણનું પાત્ર ભજવનાર ટીવી એક્ટર પંકજ ધીરનું 69 વર્ષની ઉંમરે અવસાન થતાં ચારે તરફ શોક છવાયો હતો.

ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની જાણીતી સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું 69 વર્ષની ઉંમરે કેન્સરથી અવસાન થતાં ચારે તરફ શોક છવાયો હતો. ચાહકો અને કલાકારો આ સમાચાર સાંભળીને રડી પડ્યાં હતા. તેમના અવસાનને પગલે ટીવી જગતમાં એક યુગ પૂરો થયો છે.

ઘણા સમયથી કેન્સરની બીમારી હતી

પંકજ ધીર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ ઘણા વર્ષોથી આ રોગ સામે લડી રહ્યા હતા, પરંતુ થોડા મહિના પહેલા કેન્સર ફરી ઉભરી આવ્યું અને તેમની તબિયત ઝડપથી બગડી ગઈ. તેમણે કેન્સરની મોટી સર્જરી પણ કરાવી હતી પરંતુ તેઓ 15 ઓક્ટોબર કેન્સર સામેનો જંગ હારી ગયા અને આખરે મરણને શરણ થયાં.

આજે સાંજે 4.30 વાગ્યે અંતિમ સંસ્કાર

સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશને તેમના અવસાન પર એક સત્તાવાર નિવેદન બહાર પાડતાં લખ્યું કે ખૂબ દુઃખ અને શોક સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAA ના ભૂતપૂર્વ માનદ મહાસચિવ શ્રી પંકજ ધીરજીનું 15 ઓક્ટોબર 2025 ના રોજ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે પવન હંસ, વિલે પાર્લે, મુંબઈ ખાતે કરવામાં આવશે.

કેવી રીતે મળી કર્ણની ભૂમિકા

પંકજે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં ઘણું કામ કર્યું હતું પરંતુ તેમને 1988માં રિલીઝ થયેલી બી.આર. ચોપરાની મહાભારતથી ખ્યાતિ મળી હતી આ શોમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી જેને કારણે તેઓ ખૂબ ફેમસ થયા. લોકોને તેમનું કર્ણનું આ પાત્ર ખૂબ ગમ્યું. પંકજે ખુલાસો કર્યો કે તેમણે શરૂઆતમાં અર્જુનની ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું અને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, તેમનું ઓડિશન સારું રહ્યું હોવા છતાં આ ભૂમિકા ફિરોઝ ખાનને મળી. કારણ સમજાવતા, પંકજે કહ્યું કે નિર્માતાઓ ઇચ્છતા હતા કે તે બૃહન્નલાના પાત્ર માટે તેની મૂછો મૂંડાવી નાખો પરંતુ મૂછો ન મૂંડાવી પરિણામે બીઆર ચોપરાએ ગુસ્સે થઈને તેમને કાઢી મૂકયાં. જોકે 6 મહિના પછી યશ ચોપરાને ભૂલનું ભાન થયું અને તેમણે કર્ણના પાત્ર માટે પંકજ ધીરને લઈ લીધા.

ચંદ્રકાંતા સીરિયલ પણ થઈ ખૂબ ફેમસ

મહાભારતના કર્ણની ઉપરાંત પંકજ ધીરે ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સીરિયલમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો હતો.

વધુ વાંચો : 1,22,000થી નીચે ઉતરીને સીધું 77,700 રુપિયા સુધી સસ્તું થશે સોનું! એક્સપર્ટે આપ્યાં રાહતના સમાચાર

કોણ છે પરિવારમાં

પંકજના અંગત જીવનની વાત કરીએ તો, તેઓ તેમની પત્ની અનિતા ધીર અને પુત્ર નિકિતિન ધીરને છોડી ગયાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pankaj dheer death
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ