બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:37 AM, 5 July 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ઈરાનને લઈને આક્રમક નિવેદન આપતા ચર્ચામાં આવ્યા છે. ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટતા ટ્રમ્પે કડક ટિપ્પણી કરી છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા ઇચ્છે તો ઈરાનના ટોચના નેતૃત્વને એક જ હુમલામાં ખતમ કરી શકે છે. જોકે તેમણે સાથે એવું પણ કહ્યું કે અમેરિકા હાલ સંવાદનો માર્ગ ખુલ્લો રાખવા માંગે છે. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાન તરફથી પણ તીખો જવાબ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અમેરિકી મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનના અનેક ટોચના નેતાઓ હાલમાં પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં એકસાથે હાજર છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે એવી ક્ષમતા છે કે જો તે ઇચ્છે તો એક જ હુમલામાં સમગ્ર ટોચના નેતૃત્વને નિશાન બનાવી શકે. જોકે તેમણે ઉમેર્યું કે અમેરિકા હાલ એવો કોઈ પગલું ભરવા માંગતું નથી, કારણ કે ભવિષ્યમાં વાતચીત અને રાજદ્વારી માટે દરવાજા ખુલ્લા રાખવા જરૂરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટ્રમ્પે કહ્યું કે તેમને આશ્ચર્ય થયું કે ખામેનેઈના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભાવુક બનીને હાજર રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેમને લાગતું હતું કે ઈરાનની જનતા ખામેનેઈથી નારાજ છે, પરંતુ અંતિમ યાત્રામાં ઉમટેલી ભીડ અને લોકોની લાગણીઓ જોઈ તેઓ ચોંકી ગયા. ટ્રમ્પે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે કદાચ આ આંસુ સાચા પણ ન હોય.
ADVERTISEMENT
ટ્રમ્પના નિવેદન બાદ આર્મેનિયામાં આવેલા ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી હતી. ઈરાને પોતાના જવાબમાં કહ્યું કે જે વ્યક્તિ પાસે સંસ્કૃતિ, ઇતિહાસ અને સન્માનની સમજ નથી, તે આવી લાગણીઓ અને પરંપરાઓને ક્યારેય સમજી શકશે નહીં.
ADVERTISEMENT
અમેરિકાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ પહેલાં પણ ટ્રમ્પે ઈરાન અંગે આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હવે તે સમાધાન માટે ઉત્સુક બન્યું છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર માટે ઈરાનને સમય આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમેરિકાને આઝાદ થયે 250 વર્ષ પુર્ણ, PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને USના લોકોને પાઠવ્યા અભિનંદન
બીજી તરફ ઈરાનના સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ કોઈપણ પ્રકારની ગેરસમજમાં ન રહે. ઈરાને ચેતવણી આપી છે કે દેશ સામે કોઈ પણ પ્રકારનો હુમલો અથવા આક્રમક કાર્યવાહી થશે તો તેનો તરત અને કડક જવાબ આપવામાં આવશે.
અયાતુલ્લા અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ ધાર્મિક અને સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો 9 જુલાઈ સુધી ચાલવાના છે. અહેવાલ મુજબ અંતિમ વિધિ સાથે જોડાયેલા કાર્યક્રમો ઈરાનના અનેક શહેરો ઉપરાંત ઇરાકમાં પણ યોજાશે.
મીડિયા અહેવાલો અનુસાર ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ જાહેરમાં અંતિમ સંસ્કાર કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા ઓછી છે. સુરક્ષા એજન્સીઓ તરફથી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તેમના જાહેર કાર્યક્રમોમાં હાજરી અંગે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.