બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:41 PM, 5 July 2026
1/7
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ નવ ગ્રહોમાં ખાસ સ્થાન ધરાવે છે. ભલે તેમને છાયા ગ્રહો માનવામાં આવે છે. જેમાં પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન અમૃત પીનાર રાક્ષસ સ્વરાભાનુનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે પ્રસિદ્ધ થયું હતું. જેમાં સમય જતાં રાહુ અને કેતુના નામ લોકોમાં ભય પેદા થવા લાગ્યો. જ્યારે પણ કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ મહાદશા, કેતુ મહાદશા કે ગોચરનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે લોકો ભવિષ્ય વિશે ચિંતિત થઈ જાય છે.
2/7
જેમાં આવું માનવામાં આવે છે કે, રાહુ અને કેતુના લીધે જીવનમાં માત્ર અવરોધો, તણાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ આ માન્યતા સંપૂર્ણરી સાચી નથી.જેમાં રાહુ અને કેતુ જીવનમાં પરિવર્તન, કર્મના ફળ, આધ્યાત્મિકતે વિકાસ અને નવા અનુભવોનું પ્રતીક પણ છે. આથી માત્ર તેમના નામોથી ડરવું જરૂરી નથી. જેમાં કુંડળીમાં તેમની સાચી સ્થિતિ અને પ્રભાવને સમજવું પણ જરૂરી છે.
3/7
રાહુ અને કેતુનો પ્રભાવ વ્યક્તિની કુંડળીમાં તેમની સ્થિતિ, જોડાણ અને સ્થિતિ પર આધાર રાખે છે. જો તેઓ શુભ સ્થાને હોય કે શુભ ગ્રહોની મદદ હોય તો વ્યક્તિ રાજકારણ, ટેકનોલોજી, વિદેશ યાત્રા, સ્ટડી, મીડિયા, પ્રોફેશન અને બીજા ક્ષેત્રોમાં મોટી સફળતા મેળવી શકે છે. રાહુમાં વ્યક્તિને રાતોરાત રાજા બનાવવાની ક્ષમતા છે. બીજી તરફ કેતુને આધ્યાત્મિક પ્રગતિ, ગહન જ્ઞાન, રીસર્ચ અને આત્મસાક્ષાત્કારનો કારક માનવામાં આવે છે.
4/7
રાહુ અને કેતુએ કુંડળીમાં અનેક લોકોને મોટી સિદ્ધિઓ આપી છે. જેમાં રાહુ અચાનક ખ્યાતિ, નવી ઓળખ અને અણધાર્યા મોકા આપી શકે છે. બીજી તરફ કેતુ વ્યક્તિને ગહન જીવન અનુભવો અને આધ્યાત્મિક શક્તિ આપે છે. રાહુની મહાદશા કે કેતુની દશા શરૂ થાય ત્યારે ગભરાવાને બદલ તમારે અનુભવી જ્યોતિષી દ્વારા વ્યાપક જન્માક્ષર એનાલીસીસ કરાવવું જોઈએ. જેમાં માત્ર સામાન્ય માહિતી કે ઓનલાઈન વાંચવામાં આવતી અફવાઓના આધારે તારણો કાઢવા યોગ્ય નથી.
5/7
રાહુ અને કેતુને કકર્મોના પરિણામો સાથે સંકળાયેલા ગ્રહો માનવામાં આવે છે. તેઓ વ્યક્તિને નવી સ્થિતિઓનો સામનો કરવાનું, ભૂલોમાંથી શીખવાનું અને આગળ વધવાનું શીખવે છે. આતી તેમની દશાને ઈમરજન્સીનો ખરાબ સમય માનવો યોગ્ય નથી. ભલે રાહુ કે કેતુ કોઈની કુંડળીમાં પડકારજનક સ્થિતિમાં હોય તેમ છતાં ગભરાશો નહીં. જેમાં પોઝીટીવ એપ્રોચ, સારા કાર્યો, નિયમિત પ્રાર્થના, દાન, શિસ્તબદ્ધ જીવન અને ધીરજથી તમે મુશ્કેલ સમયનો સામનો કરી શકો છો.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ