બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે
ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને વનડે અને ટી-20 ફોર્મેટમાં પણ મહેમાન ટીમ સાથે બાથ ભીડવી પડશે. ભારતીય ટીમ સિલેક્ટર્સે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે ત્યારે ખબર આવી છે કે ભારતની ટીમમાં 3 મોટા ખેલાડીઓ નહીં રમે. એક માહિતી અનુસાર વાઇસ કેપ્ટન રોહિત શર્મા, વિકેટકીપર રિષભ પંત અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
23 માર્ચે વનડે સિરીઝ શરુ થશે
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચે વનડે સિરીઝ શરુ થશે. આ બધી મેચો પુણેમાં રમાશે. પુણેમાં કોરોના વાયરસનાં વધી રહેલા કેસોને લીધે વનડે સિરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. પણ હવે તે મેચોમાં રોહિત, રિષભ અને વોશિંગ્ટનને ટીવી પર પણ નહીં જોઈ શકાય.
ADVERTISEMENT
વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે
એક માહિતી મુજબ રોહત, રિષભ અને વોશિંગ્ટનને વનડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ ગત આઈપીએલથી સતત ક્રિકેટ રમી રહ્યાં છે. આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા ટૂર બાદ ઈંગ્લેન્ડની વિરુદ્ધની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં પણ રમ્યા છે અને આગામી પાંચ ટી-20 સિરીઝ પણ રમશે. આટલા સમયથી બાયો બબલમાં રહેવું માનસિક રીતે થકાડી દે તેવુ હોય છે. પછી એપ્રિલમાં આઈપીએલ 2021 પણ શરુ થવા જઈ રહ્યું છે જેથી આ પ્લેયર્સને આરામ આપવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ સામે ટી-20માં ભારતની ટીમ
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, ઇશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટીયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.