બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:16 PM, 2 January 2020
ADVERTISEMENT
આ શ્રેણીમાં મહેન્દ્રસિંહ ધોનીનું રમવું લગભગ નક્કી જ છે, કારણ કે ધોની ટી-૨૦ ટીમથી બહાર છે. આથી તેને મેદાનમાં ઊતરવા આડે કોઈ અડચણ છે નહીં. બીસીસીઆઇ આસાનીથી તેનું નામ મોકલી શકે છે, કારણ કે માર્ચમાં જ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમવાની હોવાથી મોટા ખેલાડીઓ બાંગ્લાદેશની શ્રેણી માટે ઉપલબ્ધ નહીં હોય. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ખુદ ધોનીના નામની ભલામણ કરી છે.
બાંગ્લાદેશ બોર્ડે ધોની, વિરાટ, બૂમરાહ, હાર્દિક, જાડેજા, ભુવનેશ્વર અને રોહિત શર્માની માગણી કરી છે, પરંતુ આમાંથી કોને બાંગ્લાદેશ મોકલવા તે અંગેનો નિર્ણય બીસીસીઆઇ કરશે.
બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું, ''બાંગ્લાદેશમાં રમાનારી શ્રેણી માટે અમે અમારા પાંચ ખેલાડી નક્કી કરી લીધા છે. જોકે બીસીસીઆઇ માટે મોટા ખેલાડીઓને મોકલવા આસાન નથી, કારણ કે આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી રમશે.'' ધોની ટીમ ઇન્ડિયા તરફથી હાલ રમતો નહીં હોવાને કારણે બાંગ્લાદેશની ધરતી પરથી તે ક્રિકેટમાં વાપસી કરશે એ લગભગ નક્કી જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.