ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી
સાંજ બાદ પવનની ગતીમાં વધારો થશે
કાલે સૌથી વધારે પવન ની ગતિ 70 થી 80 સુધી ની રહેશે
3 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદને પગલે હવામાન વિભાગની પત્રકાર પરિષદ
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરની સાથે સાથે હવે શાહીન વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં મનોરમા મોહંતિએ રાહતનાં સમાચાર આપતા કહ્યું છે કે શાહીન વાવાઝોડાની ગુજરાતને કોઈ ખતરો નથી.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી
મનોરમા મોહંતિએ કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં રહેલ વાવાઝોડું હવે કચ્છ તરફ જોવા મળી રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ સાંજથી પવનની ગતિમાં વધારો થશે અને આવતીકાલે કોસ્ટલ વિસ્તારો એટલે કે દરિયા કિનારાઓ પર પવનની ગતિમાં વધારો થતો જોવા મળે તેવી શક્યતા છે.
સૌથી મોટા રાહતનાં સમાચાર
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે સૌથી વધારે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિ કલાક સુધીની રહેશે જેના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે ત્યારે હવામાન વિભાગે સૌથી મોટા સમાચાર આપ્યા છે કે વાવાઝોડાને લઈને ગુજરાતને કોઈ ખતરો નથી.
અમદાવાદમાં હળવા વરસાદની શકયતા
વાવાઝોડાને પગલે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.