બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / There is a tradition of offering Akshat i.e. rice in religious functions

ધર્મ / ચોખાનો એક દાણો તમારા ધાર્યા કામ કરશે પૂરા, 6 ચમત્કારિક ઉપાયથી ખૂલી જશે કિસ્મતના બંધ દરવાજા

Kishor

Last Updated: 10:15 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં ચોખાથી પૂજાનું ખુબ જ મહત્વ છે. દેવી દેવતાઓને ચોખા અર્પણ કરવાથી અટકેલા કામ ઉકેલાય જાય તેવી માન્યા છે.

  • હિન્દુ ધર્મમાં પૂજા પાઠમાં ચોખાનું ખૂબ જ મહત્વ
  • પ્રકૃતિમાં સૌપ્રથમ ઉગાડવામાં આવ્યા હતા ચોખા
  • ચોખા સાથે જોડાયેલ અનેક માન્યતા

હિન્દુ ધર્મમાં ચોખાનું ખૂબ જ મહત્વ છે અને હિન્દુ માન્યતા તો એવી છે કે ચોખા જ પ્રકૃતિમાં સૌપ્રથમ ઉગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોએ તેને ભગવાનના ચરણોમાં ધર્યા હતા અને ત્યારથી આજ સુધી અક્ષત અથવા ચોખાનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. ક્યારેય ક્ષય ન થાય તેને અક્ષત કહેવામાં આવે છે. જે મજબૂત છાલની અંદર હોવાથી તેને પક્ષી કે પ્રાણીઓ પણ નુકસાન પહોંચાડી શકતા નથી જેથી તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને ખાસ પૂજા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.


હિન્દુ ધર્મમાં માન્યતા એવી પણ છે કે ભૂતકાળમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા પાપોને નાશ કરવા માટે કોઈપણ દેવી-દેવતાઓની પૂજામાં ચોખા અર્પણ કરી શકાય છે.

ચોખાના માત્ર ચાર દાણા કરશે કમાલ, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યથી ભરપુર થશે તમારુ  જીવન | white rice will change your life know how to do pooja


આ ઉપરાંત ખૂબ જ કઠોર પરિશ્રમ કરવા છતાં પણ ઘરમાં હંમેશા ખાવાના ફાંફા પડતા હોય તો ઘરમાં ચોખાના ઢગલા પર અન્નપૂર્ણા માતાજીનો ફોટો રાખી પૂજા કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

અનેક પ્રયત્નો કરવા છતાં પણ તમારા વ્યાપારમાં માંગી સફળતા ન મળતી હોય તો સફળ કારકિર્દી માટે અને વ્યવસાયની સફળતા માટે કાગડો અને અન્ય પક્ષીઓને ચોખા ખવડાવવા જોઈએ.

ભગવાન શિવની પૂજામાં ચોખા અર્પણ ખૂબ જ આવકારદાયક માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે શિવપૂજા દરમિયાન કોઈ વસ્તુ માંગતી વેળાએ અક્ષતનો એક દાણો ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે.

હિન્દુ ધર્મની માન્યતા મુજબ શુક્રવારે મા લક્ષ્મીની પૂજા કર્યા બાદ અક્ષતના 21દાણાને પીળા રંગથી રંગીને લાલ કપડામાં બાંધીને કબાટમાં રાખવામાં આવે તો આર્થિક સંકટ દૂર થઈ શકે છે અને માતાજીના આશીર્વાદ વરસે છે. વધુમાં દરરોજ સૂર્યોદય સમયે તાંબાના વાસણમાં ચોખાના ચાર દાણા સાથે પૂજા કરવામાં આવે તો ભગવાનની કૃપા વરસે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ