અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વના સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરશે. 100 વિઘા જગ્યામાં 1000 કરોડના ખર્ચે મંદિર અને વિશ્વ ઉમિયાધામ સંકુલનું નિર્માણ થશે.
અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વના સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરશે. 100 વિઘા જગ્યામાં 1000 કરોડના ખર્ચે મંદિર અને વિશ્વ ઉમિયાધામ સંકુલનું નિર્માણ થશે. અત્યાર સુધીમાં વિશ્વમાં આટલું ઊંચુ કોઈ હિંદુ મંદિર બન્યું નથી. આ મંદિરનો શિલાન્યાસ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે યોજાશે.
જ્યારે આ બે દિવસના સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના બે લાખથી વધુ મા ઉમિયાના ભક્તો આવશે. આ ઉપરાંત આ સમારોહમાં સંતો, રાજનેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ સામેલ થશે. શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે તથા શિલાન્યાસ સમારોહમાં મહંતસ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરની વિશેષતાઓ...
મંદિરની ઉંચાઈ 431 ફૂટ (131 મીટર)
વિશ્વનું સૌથી ઉંચુ જગત જનની મા ઉમિયાનું મંદિર બનશે
મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી બની છે
માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે