બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Supreme Court stayed Rahul Gandhi's two-year sentence in the defamation case
Malay
Last Updated: 05:58 PM, 4 August 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુરતની કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ભાષણ આપતી વખતે સાવધાની રાખવી જોઈએ, આશા છે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે લોકસભાની ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધી માટે રસ્તો સાફ થઈ ગયો છે. હવે રાહુલ ગાંધી માત્ર સંસદમાં જ નહીં પરંતુ 2024ની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ પાછા જોવા મળશે.
કોંગ્રેસે કહ્યું- આ નફરત સામે મોહબતની જીત છે
સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'આ નફરત સામે મોહબ્બતની જીત છે, સત્યમેવ જયતે-જય હિન્દ.'
यह नफरत के खिलाफ मोहब्बत की जीत है।
— Congress (@INCIndia) August 4, 2023
सत्यमेव जयते - जय हिंद 🇮🇳 pic.twitter.com/wSTVU8Bymn
ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ''રાહુલ ગાંધી ઝિંદાબાદ, સત્યમેવ જયતે"
धन्यवाद सुप्रीम कोर्ट । https://t.co/w5ghzfErMg
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 4, 2023
રાહુલજીની સજા સામે મળ્યો છે સ્ટેઃ અમિત ચાવડા
આ અંગે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, મહિલાઓની સુરક્ષા, ખેડૂતો માટેના કાળા કાયદા મુદ્દે રાહુલજીએ વાત કરી છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરવામાં રાહુલજી આગળ આવ્યા છે. રાહુલજીની સજા સામે સ્ટે મળ્યો છે. આવનાર દિવસોમાં નવી આઝાદીની લડાઈમાં આખો દેશ જોડાશે.
'લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો આજે વિજય થયો'
અમિત ચાવડાએ કહ્યું કે, તેમણે કર્ણાટકમાં નિરવ મોદી, લલીત મોદી જેવા લોકો બાબતે નિવેદન આપ્યું હતું. કોઈ કેસ લાગતો નહીં હોવા છતાં સુરતમાં કેસ કરવામાં આવ્યો હતો. રાહુલજીને બોલતા અટકાવવા દેશભરમા ખોટા કેસ થયા હતા. નવા અંગ્રેજો સામે લાંબી લડાઈ ચાલી રહી છે. સુરતનો ચુકાદો અને ત્યારબાદ એક દિવસમાં તેમને સભ્ય પદ દૂર કરાયા હતા. રાહુલ ગાંધીનું સભ્ય પદ ગયા બાદ ઘરમાંથી પણ દૂર કરાયા હતા. પરંતુ આજે લોકશાહી અને ન્યાયતંત્રમાં માનનારાઓનો આજે વિજય થયો છે.
सत्यमेव जयते ।
— Amit Chavda (@AmitChavdaINC) August 4, 2023
नफ़रत,डर और अन्याय के खिलाफ मोहब्बत एवं सच्चाई की जीत ।
जय हिंद 🇮🇳 pic.twitter.com/79vACScIpG
ન્યાયાલય પરનો અમારો વિશ્વાસ અકબંધ રાખ્યોઃ વકીલ બાબુ માંગુકિયા
સુપ્રીમ કોર્ટના ચુકાદા પર વકીલ બાબુ માંગુકિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે ન્યાયાલય પરનો અમારો વિશ્વાસ અકબંધ રાખ્યો છે, નીચલી કોર્ટના ચુકાદાની સુપ્રીમ કોર્ટમાં આલોચનાઓ થઈ હતી. હાઈકોર્ટે પણ 66 દિવસ સુધી ચુકાદો રિઝર્વ રાખ્યો છે. નીચલી કોર્ટના ચુકાદા ક્ષતિવાળા હોવાનું સાબિત થયું છે.
શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
Surat court holds Rahul Gandhi 'Guilty' in criminal defamation case over his statement insulting Modi Surname
— Ankur Singh (@iAnkurSingh) March 23, 2023
This is the speech! pic.twitter.com/RgcD5T0KPL
20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.
ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાઈ હતી.ગુજરાત કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. જે બાદ રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હવે રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ