ખાણીપીણીમાં પૌષ્ટિક તત્વોની કમી અને શારીરિક ગતિવિધિઓના અભાવથી શરીરના અંદરના અંગ ઘીમે ઘીમે કમજોર પડવા લાગે છે. પગમાં ગોટલા ચઢી જવા કે પગની નસ ખેંચાઇ જવી એ આવી જ સમસ્યા છે. રાત પડે ત્યારે પગની આ સમસ્યા વધુ સતાવે છે, ક્યારેક તો વ્યક્તિની ઉંઘ અચાનક ઉડી જાય છે. આ સમસ્યા માત્ર મહિલાઓમા નહીં, પરંતુ પુરુષોને પણ પરેશાન કરે છે. આમ તો આ કોઇ બિમારી નથી, પરંતુ કોઇ રોગનું એક લક્ષણ છે. તુલનાત્મક રીતે માંસપેશીઓ મોટી હોવાથી પગમાં આમ વધુ થાય છે.
ખાણીપીણીમાં પૌષ્ટિક તત્વોની કમી અને શારીરિક ગતિવિધિઓના અભાવથી શરીરના અંદરના અંગ ઘીમે ઘીમે કમજોર પડવા લાગે છે
પગમાં ગોટલા ચઢી જવા કે પગની નસ ખેંચાઇ જવી એ આવી જ સમસ્યા છે
શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ(વિદ્યુતીય તરંગોના તત્વ) અન ન્યુરોકેમિકલ્સનુ અસંતુલન, નસોની કમજોરી(ન્યુરોપેથી), ન્યુરોલોજિકલ વિકાર, પોષકતત્વોની કમી ખાસ કરીને વિટામીન ડી અને બી-12 તેમજ વધુ ઉંમરમાં નસો અને માંસપેશીઓની કમજોરી મુખ્ય કારણ છે. ઘણી વાર થાઇરોઇડ, ડાયાબીટીસ, અંતસ્ત્રાવી ગ્રંથિઓ સાથે જોડાયેલી કોઇ સમસ્યા, હ્રદય રોગ અને કેન્સરના ઇલાજ માટે લેવાતી દવાઓને નિયમિત લેવાથી જે અસર શરીરને થાય છે તેમાનું એક લક્ષણ પગની નસોમાં ખેંચાણ પણ છે. ફાઇબ્રોમાઇલજિયા રોગના કારણે પણ શરીરના વિવિધ અંગમાં નસોમાં ખેંચાણની સમસ્યા થાય છે.
રાતે જ કેમ થાય છે
વ્યસ્ત દિનચર્યાના કારણે સમસ્યા પર ધ્યાન ન આપી શકાવુ અને શરીરની પ્રવૃતિઓ સતત ચાલુ હોવાથી નબળાઇનો અંદાજ લગાવી શકાતો નથી. આવા સંજોગોમાં રાતે આરામ કરવા દરમિયાન તેની પર ધ્યાન જાય છે.
આ ઉપાયો કરી શકાય
રોજ 15થી 20 મિનિટ નિયમિત રીતે વોકિંગ કરવાથી પગમા રક્તસંચાર યોગ્ય રીતે થઇ શકે છે.