બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The overbridge connecting 40 villages of Gujarat-Madhya Pradesh was closed the day after it was opened
Vishal Khamar
Last Updated: 03:12 PM, 10 April 2024
"ઉતાવળે આંબા ન પાકે" આ કહેવત જાણે સાચી ઠરતી હોય તેવો એક કિસ્સો આજે દાહોદ ખાતે બનવા પામ્યો હતો. જેમાં હરખપદુડા થયેલા નેતાઓ દ્વારા બ્રિજનું લોકાર્પણ તો કરી દીધું પણ લોકાર્પણ કર્યાનાં ગણતરીનાં કલાકોમાં જ બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. જે બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે બ્રિજનું કામ જ અધૂરુ હતું. પણ નેતાજીને લાગેલી ઓવરબ્રિજ લોકાર્પણની તાલાવેલી લાગી હોવાથી લોકાર્પણ કરી દીધું. પરંતું ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા બ્રિજનું લોકાર્પણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
14મીએ બ્રિજનું લોકાર્પણ, 15મીએ બ્રિજ બંધ
ગુજરાત-મધ્યપ્રદેશને જોડતા અનાસ-ટાંડા બ્રિજને બનાવાયો હતો. 40 ગામોને જોડતો ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા રાહદારીઓ તેમજ ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. તા. 14 માર્ચનાં રોજ ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા બ્રિજનું લોકાર્પણ કર્યાનાં ગણતરીનાં કલાકોમાં બ્રિજ પર બેરીકેટ ગોઠવવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
નેતાજીએ લોકાર્પણની ઉતાવળ કેમ કરી?
દાહોદમાં ગુજરાત-મધ્યપ્રદેશને જોડતા આ બ્રિજથી 40 ગામના લોકોને ભારે આશા હતી 15 માર્ચે ચૂંટણીની જાહેર થવાની હતી એ પહેલા જ 14 માર્ચે સાંસદ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવા પહોંચે છે. ત્યારે સ્થાનિકોને એમ કે બ્રિજ બનવાથી મુશ્કેલી દૂર થશે. પણ લોકાર્પણના બીજા દિવસે જ બ્રિજ બંધ કરી દેવાાયો હતો. જે બાબતે ગ્રામજનો દ્વારા તપાસ કરતા હજુ બ્રિજનું નિર્ણાણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે કોંગ્રેસનાં દાહોદનાં પ્રવક્તા પંકજ શાહે કહ્યું હતું કે, મતદારોને આકર્ષવા માટે લોકાર્પણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
વધુ વાંચોઃ બોર્ડ Examના CCTVની ચકાસણીમાં ઝડપાયા 452 ગેરરીતિના કેસ, હિયરિંગ બાદ સંભળાવાશે સજા
ચૂંટણીની જાહેરાત પહેલા બ્રિજ ખુલ્લો મુક્યો
બ્રિજનું લોકાર્પણ થતા જ દાહોદવાસીઓનાં ચહેરા પર ફરી એકવાર નિરાશા જોવા મળી હતી. હવે આ મુદ્દા રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે ભાજપ પર મતદારોને આકર્ષવા માટે ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે સવાલ તો અહીં એ પણ ઉઠે છે કે શું સાંસદને ચૂંટણીની જાહેરાતની તારીખ પહેલાથી ખબર હતી. શું ચૂંટણી જાહેર થવાની હતી તે માટે જ આગલા દિવસે બ્રિજનું લોકાર્પણ કર્યું. નિર્માણકાર્ય અધૂરું હતું તો લોકાર્પણની ઉતાવળ કેમ કરી એ સવાલ કોઈને પણ ગળે ઉતરી રહ્યો નથી. પણ જનતાને ગળે ઉતર્યો છે. અને તેનું માઠું પરિણામ આવે તો નવાઈ નહી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ