બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ચૂંટણીપંચની નિષ્પક્ષતા પુરી થઈ ગઈ', ગુજરાત કોંગ્રેસના ડેલિગેશને કર્યા ગંભીર આક્ષેપ
Last Updated: 05:29 PM, 28 May 2024
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને આવવાનું છે. ત્યારે તેના પહેલા કોંગ્રેસ ફરી એક વખત એક્શનમાં આવી છે. કોંગ્રેસ પક્ષના ડેલિગેશને ચૂંટણી પંચને કરેલી ફરિયાદો મુદ્દે રજૂઆત કરી છે. ચૂંટણી દરમિયાન કરેલી ફરિયાદો વિશે ચર્ચા કરી છે.
ADVERTISEMENT
ચૂંટણીપંચની કામગીરી સામે અનેક સવાલો: અમિત ચાવડા
ADVERTISEMENT
કોંગ્રેસે કરેલી ફરિયાદો અંગે શું એક્શન લેવાયા તે અંગે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યાં હતા અને વિગતો માંગી હતી. ચૂંટણીપંચ પર કોંગ્રેસ પક્ષના ડેલિગેશનનો ગંભીર આક્ષેપ પણ કર્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે લેખિત અને મૌખિક ફરિયાદો કરી છતાં કોઈ પગલાંઓ લેવાયા નથી. ચૂંટણીપંચની નિષ્પક્ષતા પુરી થઈ ગઈ હોય તેવું લાગે છે. વધુમાં કહ્યું કે, ચૂંટણીપંચની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
વાંચવા જેવું: ખેતરની જમીનમાં જ વોટર પાર્ક ઊભો કરી દેવાયો, તંત્ર દોડતું થઇ ગયું, ફટકારાઇ નોટિસ
ADVERTISEMENT
મારા વિસ્તારના મતદારોને ગુમરાહ કરાયા: સોનલ પટેલ
ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલે કહ્યું કે, ચૂંટણી વખતે મારા વિસ્તારના મતદારોને ગુમરાહ કરાયા છે. અસામાજિક તત્વો દ્વારા મતદારોને મત ન આપવા જવા કહેવાયું હતું. પછાતવર્ગના લોકોને મત ન આપવા દબાણ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.