બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ પોતાના ખેલાડીઓના પ્રદર્શનને જોઈ કડક નિર્ણય કર્યો છે. બીસીસીએ ખેલાડીઓએ કરેલા કંગાળ પ્રદર્શનના કારણે તેમની સેલરી કાપવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને પહેલાં ભારત સામે ટી-૨૦ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાર બાદ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન પણ બાંગ્લાદેશની ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતું અને હારનો સામનો કર્યો હતો. હાલ બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જ બાંગ્લાદેશની ટીમનો ઇનિંગ્સથી પરાજય થયો છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ પોતાના ખેલાડીઓના પ્રદર્શનને જોઈ કડક નિર્ણય કર્યો
નિયમના કારણે હવે બીસીસીએ ખેલાડીઓની સેલરી કાપી લેવાનો નિર્ણય કર્યો છે
અસલમાં બીસીબીએ ક્રિકેટ પ્રત્યે ખેલાડીઓનું સમર્પણ વધારવા માટે પ્રતિમેચના આધાર પર મહેનતાણાનો માપદંડ અપનાવ્યો છે. આ માપદંડના આધારે જો ખેલાડી સારું પ્રદર્શન કરે તો તેનું વેતન વધારી દેવામાં આવે છે અને ખેલાડીઓ ખરાબ પ્રદર્શન કરે તો તેમનું વેતન ઘટાડી દેવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ખેલાડીઓએ આ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આ જ નિયમના કારણે હવે બીસીસીએ ખેલાડીઓની સેલરી કાપી લેવાનો નિર્ણય કર્યો છે.
૨૦૧૭ પહેલાં આયોજિત પ્રત્યેક ટેસ્ટ માટે આઠ પોઇન્ટ અને ૨૦૧૮-૧૯માં આયોજિત પ્રત્યેક ટેસ્ટના ૧૦ પોઇન્ટ નક્કી કરાયા છે. આ ઉપરાંત ખેલાડીના નામ પર દરેક વન ડેમાં ચાર પોઇન્ટ અને ૨૦૧૭ સુધી પ્રતિ ટી-૨૦ મેચ માટે ત્રણ પોઇન્ટ જોડવામાં આવ્યા છે. મુશ્ફિકુર પાસે સૌથી વધુ પોઇન્ટ છે, જેના ટેસ્ટ પોઇન્ટ ૫૭૪ છે અને નિર્ધારિત ઓવરની મેચના ૧૧૭૨ પોઇન્ટ છે.