બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / The bank also offers life insurance cover on debit cards
Pooja Khunti
Last Updated: 01:41 PM, 22 January 2024
આજે લગભગ લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ડેબિટ કાર્ડની મદદથી જ તમે ATM થી પૈસા ઉપાડી શકો છો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે બેન્ક ડેબિટ કાર્ડ પર જીવન વીમા કવર પણ આપે છે. જો તમારી સાથે કોઈ ઘટના અથવા છેતરપિંડી થાય છે, તો તમને તેના પર વીમા કવર મળે છે. ઘણી બેન્કો ડેબિટ કાર્ડ વપરાશકર્તાઓના મૃત્યુનાં કિસ્સામાં વીમો પણ આપે છે.
SBI બેન્ક
અલગ-અલગ બેન્કો અલગ-અલગ વીમો આપે છે. ઘણી બેન્કનો વીમો 3 કરોડ સુધીનો હોય છે. જો તમે SBI નાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં હોય તો એક્સિડેન્ટમાં મૃત્યુ થવા પર 4 થી 10 લાખ રૂપિયાનું કવર મળે છે. રસ્તા પર દુર્ઘટનાનાં કારણે મૃત્યુ થાય તો 2 થી 5 લાખનું કવર મળે છે.
HDFC અને ICICI બેન્ક
HDFC બેન્કનાં અલગ-અલગ કાર્ડ પરની શરતો પ્રમાણે તમને 5 લાખ રૂપિયાથી લઈને 3 કરોડ સુધીનું વીમા કવર મળે છે. ICICI બેન્ક 50 હજારથી લઈને 30 લાખ રૂપિયા સુધી વીમા કવરેજ આપે છે.
વાંચવા જેવું: આધાર કાર્ડને લઇને મોટા સમાચાર: નામાંકનથી લઇને અપડેટ કરવા સુધી..., નિયમમાં કરાયા ફેરફાર
જો તમને પોલિસી નંબર ન મળે તો ચિંતા કરશો નહીં
તમને પોલિસી નંબર નથી મળતા. ગ્રુપ પોલિસી તેનું મોટું કારણ છે. એટલા માટે પોલિસી નંબર નથી મળતો. દરેક ખાતાધારકે તેની બેન્ક શાખાની મુલાકાત લેવી જોઈએ અને કાર્ડ પર ઉપલબ્ધ વીમા અને તેનાથી સંબંધિત નિયમો અને શરતો વિષે માહિતી મેળવવી જોઈએ. આ ઉપરાંત તમારે બેન્કની નોમિની વિશે પણ માહિતી મેળવવી જોઈએ.
KYC
વીમો લેવા માટે KYC કરાવવું જરૂરી છે. જે વ્યક્તિ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હોય તેણે બેન્કની શાખા પર જઈને KYC અને અન્ય જરૂરી દસ્તાવેજ જમા ન હોય તો તાત્કાલિક જમા કરાવી દેવા જોઈએ. વ્યક્તિગત અકસ્માત વીમોનો દાવો કરવા માટે ગ્રાહકનું મૃત્યુ પ્રમાણ પત્ર અને KYC જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime