બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / વિશ્વ / Tensions rise between Russia and Ukraine after drone attack Dmitry Medvedev says have to finish Zelensky
Megha
Last Updated: 12:49 PM, 4 May 2023
ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધુ વધી રહ્યો છે અને હવે રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે તેમની પાસે ઝેલેન્સકીને ખતમ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જણાવી દઈએ કે કિવ પર કરવામાં આવેલી કાર્યવાહી પર મેદવેદેવે કહ્યું, 'આજના આતંકવાદી હુમલા પછી ઝેલેન્સકી અને તેના જૂથને ખતમ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ઝેલેન્સકીને બિનશરતી આત્મસમર્પણના એક દસ્તાવેજ પર સહી કરવાની પણ જરૂર નથી.
So let me get this straight.
— Clandestine (@WarClandestine) May 3, 2023
Russia reports that Ukraine just attempted to kill Putin via drone strike.
Ukraine is a proxy of the US. All the military operations are being conducted via extension of US entities (CIA, State Dept, etc.).
Did the US just try to assassinate Putin? pic.twitter.com/cI94CRBT0y
રશિયન સંસદે હુમલો કરવાની હાકલ કરી
એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે રશિયાએ યુક્રેન પર મોટો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે કિવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર બે ડ્રોનથી હુમલો કર્યો હતો. જે બાદ રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને હુમલા પછી રશિયન સંસદે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના નિવાસસ્થાન પર જવાબી મિસાઈલ હુમલો કરવાની હાકલ કરી છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી નિવેદન
આ સાથે જ તમને જણાવી દઈએ કે ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદ રશિયાએ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે અને રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યારે પણ અને જ્યાં પણ રશિયાને હુમલો કરવાની તક મળશે, તે હિસાબ બરાબર કરશે." રશિયાનું કહેવું છે કે તે આતંકવાદનું સુનિયોજિત કાવતરું હતું જેનો હેતુ પુતિનની હત્યા કરવાનો હતો.
Drone attack on Kremlin which Russia said was assassination attempt on Putin.
— Carl Zha (@CarlZha) May 3, 2023
We're entering no-bar hold stage of the war. This will not end well for Ukraine or the West pic.twitter.com/uoHvfKdH8x
રશિયાએ ગણાવ્યો આતંકવાદી હુમલો
ક્રેમલિને ડ્રોન હુમલાને આતંકવાદી હુમલો ગણાવતા કહ્યું, "આ એક સંપૂર્ણ આતંકવાદી કૃત્ય છે જેનો ઉદ્દેશ્ય રશિયન રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્રયાસ છે. આ વિજય દિવસ અને 9 મેની પરેડની બરાબર પહેલા થયું હતું એ વાત જાણીતી છે કે પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પુતિનને આમાં કોઈ નુકસાન થયું નથી. હવે અમને બદલો લેવાનો અધિકાર છે. ડ્રોન હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ સમયસર યોજાશે. "
No option left other than elimination of Zelenskyy: Russia's ex-leader Medvedev
— ANI Digital (@ani_digital) May 3, 2023
Read @ANI Story | https://t.co/RZBP3aj1fG#Zelenskyy #Russia #Ukraine #Putin pic.twitter.com/bY1fwrfD38
યુક્રેન હુમલાનો ઇનકાર કર્યો
મહત્વનું છે કે પુતિનની હત્યાનું ષડયંત્ર રચવાના રશિયાના આરોપો પર યુક્રેનનું કહેવું છે કે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. યુક્રેને આ હુમલામાં તેનો કોઈ રોલ હોવાનો ઈન્કાર કર્યો છે. ઝેલેન્સકીના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે અમારી પાસે ક્રેમલિન પરના આ કથિત રાત્રિ હુમલા વિશે કોઈ માહિતી નથી પણ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વારંવાર કહ્યું છે કે યુક્રેન તેના પ્રદેશની રક્ષા કરવા માટે તૈયાર છે અને અન્ય પર હુમલો કરતું નથી.
રશિયાના ડ્રોન હુમલા પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે હુમલો મેં કરાવ્યો નથી, અમારી પાસે મોસ્કો સુધી પહોંચવા માટે હથિયાર નથી.રશિયાના આરોપોને નકારી કાઢતા ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન જે રીતે હવે બદલો લેવાના સંકેતો દેખાડે છે હવે યુક્રેનને તેના વિશે સંપૂર્ણ સતર્ક રહેવું જોઈશે કારણ કે યુક્રેન જે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહ્યું છે, તે બરબાદ થઈ ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime