બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Priyakant
Last Updated: 03:16 PM, 31 December 2023
Tehreek-e-Hurriyat Ban : જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા કેન્દ્ર સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) બાદ હવે સરકારે તહેરીક એ હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ સંગઠન પર આતંકવાદી ગતિવિધિઓને કારણે UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, 'તહેરીક એ હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વિટર પર લખ્યું કે, આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. આતંકવાદ સામે પ્રધાન નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સની નીતિ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને તરત જ નિષ્ફળ કરવામાં આવશે.
The ‘Tehreek-e-Hurriyat, J&K (TeH) has been declared an 'Unlawful Association' under UAPA.
— Amit Shah (@AmitShah) December 31, 2023
The outfit is involved in forbidden activities to separate J&K from India and establish Islamic rule. The group is found spreading anti-India propaganda and continuing terror activities to…
ભારત સરકારે પ્રતિબંધ શા માટે લાદ્યો?
ભારત સરકારે તહેરીક એ હુર્રિયત સંગઠન વિશે માહિતી આપતા એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે, તે જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી વિચારધારા ફેલાવી રહી છે. આ લોકો આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ આપે છે અને પથ્થરબાજીને પ્રોત્સાહન આપે છે. સંગઠનના લોકો ભારતીય કાયદાનું પાલન કરતા નથી અને કાશ્મીરને ભારતથી અલગ માને છે. ચાર દિવસમાં સરકારે કાશ્મીરમાં સક્રિય અન્ય એક મોટા સંગઠન સામે કાર્યવાહી કરી છે, જે આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે.
મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ જૂથ) પર પણ પ્રતિબંધ
અગાઉ 27 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને કારણે આ સંગઠન પર UAPA હેઠળ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં દેશ વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે અને આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરે છે.
પ્રતિબંધનો અર્થ શું છે?
ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેન્દ્ર સરકાર કોઈપણ સંગઠનને 'ગેરકાયદેસર' અથવા 'આતંકવાદી' જાહેર કરી શકે છે. આને સામાન્ય ભાષામાં 'પ્રતિબંધ' કહે છે. જો કોઈ સંસ્થાને 'ગેરકાયદેસર' અથવા 'આતંકવાદી' અથવા 'પ્રતિબંધિત' જાહેર કરવામાં આવે છે, તો તેના સભ્યોને ગુનાહિત કરવામાં આવી શકે છે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં 43 સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા છે એટલે કે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં ઘણા ખાલિસ્તાની સંગઠનો, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, LTTE અને અલ કાયદા જેવા 43 સંગઠનો સામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
હવે ન ભૂલાય / નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ
salary hike