ગઢડાના સ્વામિનારાયણ મંદિરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી 2 AC ચાલુ હોવા છતાં પરસેવો નીકળતો હોય તેવો વીડિયો વાયરલ.
ગોપીનાથજી મંદિરમાં ભગવાનની મૂર્તિનો પરસેવો વળ્યો
ગોપીનાથજીની મૂર્તિ પર પરસેવો જોવા મળતા ભક્તોમાં કુતુહલ
VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ
બોટાદના ગઢડામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં ગોપીનાથજી મહારાજનો એક ચોંકાવનારો VIDEO સામે આવ્યો છે. જેમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પરસેવો નીકળતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ગઈ કાલે તારીખ 14 મેના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ભગવાન ગોપીનાથજીની મૂર્તિ પર પરસેવો જોવા મળતા ભક્તોમાં કુતુહલ સર્જાયું હતું.
2 AC હોવા છતાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર પરસેવો!
ગઢડા ગોપીનાથજી મહારાજની મૂર્તિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં મૂર્તિમાં રીતસરનો પરસેવો વળતો જોવા મળી રહ્યો છે. મંગળા આરતી સમયે ગોપીનાથજી ભગવાનની મૂર્તિમાં પરસેવો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં 2 AC હોવા છતાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર પરસેવો વળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. VTV NEWS આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતું.
વીડિયો જોઇને હરિભક્તોમાં ભારે કુતૂહલતા
તમને જણાવી દઇએ કે, ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની મૂર્તિઓ પણ આવેલી છે. મંદિરના ગર્ભગૃહમાં 2 AC ચાલુ હોય છે તેમ છતાં માત્ર ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર જ પરસેવો વળતા સૌ કોઇમાં કુતુહલ સર્જાયું હતું. તમને જણાવની દઇએ કે, મળતી જાણકારી અનુસાર, ગોપીનાથજી મહારાજની આ મૂર્તિ સ્વયં ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં તેમના અંગેઅંગનું માપ લઇને બનાવવામાં આવેલી મૂર્તિ છે. જે આજે ગઢપુરમાં ગોપીનાથજી સ્વરૂપે પૂજાઇ રહી છે. જો કે, આ વીડિયો જોઇને હરિભક્તોનું કહેવું છે કે, ભગવાને કળિયુગમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપે સાક્ષાત પરચો પૂર્યો છે. આ અંગે મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી દ્રારા પણ સાક્ષાત ગોપીનાથજી મહારાજ હાજરા હજુર હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, VTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.