બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતથી પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

ઘટના / સુરતથી પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

Last Updated: 09:31 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતથી મહાકુંભમાં જવા પ્રયાગરાજ માટે નીકળેલી ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાવ પાસે પથ્થરમારો થયો, ટ્રેનના B-6 કોચના કાચ તૂટ્યા

સુરતથી મહાકુંભમાં જવા પ્રયાગરાજ માટે નીકળેલી ટ્રેન પર પથ્થરમારો થયો છે. મહારાષ્ટ્રના જલગાવ પાસે ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં છે. જે ઘટનામાં ટ્રેનના B-6 કોચના કાચ પણ તૂટ્યા છે.

જલગાંવ પાસે ટ્રેન પર પથ્થરમારો

ટ્રેન પર પથ્થરમારાની ઘટના છેલ્લા કેટલાક મહિનાથી વધી રહી હોય તેમ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે જલગાવ પાસે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેના કારણે ટ્રેનના ડબ્બાને નુકસાન પણ પહોંચ્યું છે. સુરતના 5 બાળકો અને મહિલાઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ તે ટ્રેનમાં સવાર હતા.

આ પણ વાંચો: ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન! સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

PROMOTIONAL 13

શ્રદ્ધાળુઓમાં ગભરાટ

પથ્થરમારાને કારણે ટ્રેનમાં થયેલા નુકસાનનો વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ પણ શકાય છે કે, ડબ્બાના બારીના ભાગે આવેલા કાચ તુટ્યા છે. સમગ્ર મામલે યાત્રાળુઓએ રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર જાણ કરી છે. મહાકુંભમાં જતી પ્રથમ ટ્રેન પર પથ્થરમારો થતાં અન્ય ટ્રેનોની સુરક્ષા વધારવા માગ કરવામાં આવી છે. આ ઘટના બાદ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Train Stone Pelting Prayagraj Train Stone Pelting Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ