ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતથી પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
Last Updated: 09:31 PM, 12 January 2025
ADVERTISEMENT
સુરતથી મહાકુંભમાં જવા પ્રયાગરાજ માટે નીકળેલી ટ્રેન પર પથ્થરમારો થયો છે. મહારાષ્ટ્રના જલગાવ પાસે ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં છે. જે ઘટનામાં ટ્રેનના B-6 કોચના કાચ પણ તૂટ્યા છે.
ADVERTISEMENT
જલગાંવ પાસે ટ્રેન પર પથ્થરમારો
ADVERTISEMENT
ટ્રેન પર પથ્થરમારાની ઘટના છેલ્લા કેટલાક મહિનાથી વધી રહી હોય તેમ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે જલગાવ પાસે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેના કારણે ટ્રેનના ડબ્બાને નુકસાન પણ પહોંચ્યું છે. સુરતના 5 બાળકો અને મહિલાઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ તે ટ્રેનમાં સવાર હતા.
આ પણ વાંચો: ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન! સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
ADVERTISEMENT

શ્રદ્ધાળુઓમાં ગભરાટ
ADVERTISEMENT
પથ્થરમારાને કારણે ટ્રેનમાં થયેલા નુકસાનનો વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ પણ શકાય છે કે, ડબ્બાના બારીના ભાગે આવેલા કાચ તુટ્યા છે. સમગ્ર મામલે યાત્રાળુઓએ રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર જાણ કરી છે. મહાકુંભમાં જતી પ્રથમ ટ્રેન પર પથ્થરમારો થતાં અન્ય ટ્રેનોની સુરક્ષા વધારવા માગ કરવામાં આવી છે. આ ઘટના બાદ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ