બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન! સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
Last Updated: 08:40 PM, 12 January 2025
રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે. જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. ત્યારે ભરૂચમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં સામે આવી છે.
ADVERTISEMENT

પ્રિન્સિપાલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યા
ADVERTISEMENT
ભરૂચમાં પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ કમલેશ રાવલે વર્ષ 2022થી 2024 દરમિયાન દુષ્કર્મ ગુજાર્યાનો સગીર વિદ્યાર્થિનીએ આ આક્ષેપ કર્યો છે. ફરિયાદ પ્રમાણે આરોપી પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્ષેપ
ADVERTISEMENT
પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યા બાદ ગેટ ટૂ ગેધરના કાર્યક્રમના દિવસે પણ ફરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે બદનામીના ડરથી વિદ્યાર્થિની કશું નહોતી કહેતી. આ અંગે વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરતાં પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ મથકે ફરિયાદ થતાં આરોપી પ્રિન્સિપાલ કમલેશ રાવલ પલાયન થઈ ગયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: બોટાદમાં બાઈકની ટક્કર તો સાબરકાંઠામાં ટ્રેક્ટરે પલટી મારી, બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત
લંપટ શિક્ષકએ ગુરૂ શબ્દને લજવ્યો
ADVERTISEMENT
કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે. સમાજમાં માં પછી જો કોઈ બીજા ગુરુ હોય તો એ શિક્ષક છે. પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.