- સુરતમાં દુર્લભ પટેલ આપઘાત કેસનો મામલો
- હજુ ત્રણ આરોપીઓ ક્રાઈમબ્રાંચની પકડથી દૂર
- આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાના મળ્યા પુરાવા
સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલના આપઘાત કેસમાં હજુ ત્રણ આરોપીઓ ક્રાઇમ બ્રાંચની પકડથી દૂર છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાંચને આ આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાના પુરાવા મળ્યાં છે.
આ કેસના મુખ્ય ત્રણ આરોપી હેતલ દેસાઇ, કિશોર કોસીયા અને કનૈયા નારોલા વિદેશ ભાગી ગયા હોવાના ક્રાઇમ બ્રાંચને પુરાવા મળ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે ક્રાઇમ બ્રાંચ દ્વારા પુરાવાના આધારે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવશે. આ ત્રણેય આરોપીઓ સમગ્ર ઘટનાના મુખ્ય કૌભાંડી છે.
સુરત શહેરના પાટીદાર આગેવાન અને ક્વોરી માલિક દુર્લભભાઇએ પોતાની જમીનને લઇને માનસિક તણાવમાં આવી જતા માંડવી પોલીસની હદમાં આપઘાત કર્યો હતો.
આ 11 લોકો સામે નોંધાયો ગુનો
- લક્ષ્મણસિંહ બોડાણા (PI),
- કિરણસિંહ (રાઈટર),
- રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
- હેતલ દેસાઈ (વેસુ),
- ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
- કનૈયાલાલ નરોલા (કતારગામ),
- કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
- વિજય શિંદે,
- મુકેશ કુલકર્ણી,
- અજય બોપાલા,
- રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ
શું છે દુર્લભ પટેલ આપઘાત કેસ?
- સુરતના માંડવીના ખંજરોલી ગામમાં ક્વોરીમાંથી દુર્લભ પટેલનો મળ્યો હતો મૃતદેહ
- સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડે દુર્લભ પટેલનો મૃતદેહ બહાર કાઢ્યો હતો
- ઓફિસમાં તપાસ દરમિયાન દુર્લભ પટેલનો પત્ર મળ્યો હતો
- અડાજણની જમીન ડીલમાં રાંદેર પોલીસ સ્ટેશનના PIનો કર્યો હતો ઉલ્લેખ
- PI અને પોલીસ સ્ટાફના માણસો, ભૂમાફિયા ધમકી આપતા હોવાનો આરોપ
- માંડવી પોલીસે PI સહિત 11 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો
- દુર્લભ પટેલ જલારામ સ્ટોન ક્વોરીના માલિક હતા
- દુર્લભ પટેલની જમીનનો સોદો 24.03 કરોડમાં થયો હતો
- સ્ટાર ગ્રુપના માલિક કિશોર કોસીયા સાથે સોદો થયો હતો
- વર્ષ 2014માં દુર્લભ પટેલે સોદો કર્યો હતો
- ડીલ પ્રમાણે 18 કરોડ રોકડા અને 3.09 કરોડના ચેક આપવામાં આવ્યા હતા
- કિશોર કોસીયાને ત્યાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા હતા
- દુર્લભ પટેલની જમીન ડીલ અંગે ઈન્કમટેક્સને જાણ થઈ હતી
- ઈન્કમટેક્સે દુર્લભ પટેલને 8.49 કરોડ ચૂકવવા નોટિસ આપી હતી
- કિશોર કોસીયાની ખોટી માહિતીના કારણે દુર્લભ પટેલને રૂપિયા ભરવાના થતા વિવાદ થયો
- કિશોરભાઈએ જે તે સમયે પૈસા ભરવા કબૂલાત આપી હતી
- ફેબ્રુઆરી 2019માં રાંદેરના PI લક્ષ્ણસિંહ બોડાણાએ દુર્લભ પટેલને બોલાવી ધમકી આપી હતી
- રાજુ લાખા ભરવાડ, હેતલ નટવર દેસાઈએ પણ આપી હતી ધમકી
- ભાવેશ કમરશી સવાણી પણ તે સમયે ત્યાં આવ્યા હતા
- રાતોરાત દુર્લભ પટેલને ધમકાવી લખાણ કરાવી લીધું હતું
- 4 ફેબ્રુઆરી, 2020ના રોજ ફરી દુર્લભભાઈના ઘરે 4 પોલીસકર્મી આવ્યા હતા
- દુર્લભ પટેલના દીકરાએ સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી
- 18 ફેબ્રુઆરી, 2020એ રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, મુકેશ કુલકર્ણીએ સાટા ખત કરાવ્યો
- PIએ નોટિસ મોકલી દબાણ લાવતા દુર્લભ પટેલે આપઘાત કર્યો હતો
- દુર્લભ પટેલે પત્ર ક્વોરીના મેનેજરને આપ્યો હતો
- આ પત્ર તેમના દીકરાને આપવા માટે કહ્યું હતું