બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં લાઈવ શોના નામે 1.43 કરોડનું કૌભાંડ, અરિજિત સિંહ, નોરા ફતેહી અને કપિલ શર્માના શોની લાલચ આપી કરોડોની છેતરપિંડી
Last Updated: 09:30 AM, 25 June 2026
સુરતના મોટા વરાછા વિસ્તારમાં લાઈવ શોના આયોજનના નામે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે શુભારંભ એન્ટરટેઇનમેન્ટ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ પોતાને બોલીવુડમાં મોટો પ્રભાવ ધરાવતા વ્યક્તિઓ તરીકે ઓળખાવી કંપનીનો વિશ્વાસ જીત્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમના બોલીવુડના અનેક જાણીતા સેલિબ્રિટીઓ સાથે નજીકના સંબંધો છે અને તેઓ મોટા કલાકારોના લાઈવ શો સરળતાથી આયોજિત કરાવી શકે છે. શરૂઆતમાં તેમણે જાણીતા ગાયક અરિજિત સિંહનો લાઈવ શો કરાવવાની ઓફર આપી હતી. આ માટે ટોકન રકમ તરીકે 11 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં વિવિધ કારણો દર્શાવી આ શો રદ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
ADVERTISEMENT
ફરિયાદ અનુસાર આરોપીઓએ માત્ર અરિજિત સિંહ જ નહીં પરંતુ અભિનેત્રી નોરા ફતેહી અને જાણીતા કોમેડિયન કપિલ શર્માના શો કરાવવાની પણ લાલચ આપી હતી. મોટા કલાકારોના કાર્યક્રમો યોજાશે તેવી ખાતરી આપીને ફરિયાદી પાસેથી તબક્કાવાર કુલ 1.43 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. સેલિબ્રિટી શોના આકર્ષણ અને મોટા નફાની આશામાં ફરિયાદીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો.

ADVERTISEMENT
સમય પસાર થવા છતાં એક પણ શો યોજાયો નહોતો. જેના કારણે ફરિયાદીને સમગ્ર વ્યવહાર અંગે શંકા જવા લાગી હતી. ત્યારબાદ ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીઓએ વિશ્વાસ કેળવવા માટે સિક્યોરિટી તરીકે અનેક ચેક આપ્યા હતા. શરૂઆતમાં એવું લાગતું હતું કે પૈસા પરત મળી જશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી હતી.
ADVERTISEMENT
ફરિયાદ મુજબ આપવામાં આવેલા ચેકમાંથી માત્ર 1.15 લાખ રૂપિયા જ પરત મળ્યા હતા. બાકીના આશરે 1.41 કરોડ રૂપિયાના ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા બાઉન્સ થઈ ગયા હતા. ચેક બાઉન્સ થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને ફરિયાદીને પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર મોટી બેદરકારી ! બે વિમાન સામસામે આવતા ટળી દુર્ઘટના
આ ઘટનાને લઈને અભિષેક બોરડોએ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો તેમજ અન્ય સંભવિત ભોગ બનનાર લોકો અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ આ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.