બ્રેકિંગ ન્યુઝ
અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રિમ કોર્ટે કરેલા નિર્ણયથી રાજસ્થાન સહિત દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ ઓગસ્તટિન જ્યોર્જ અને જસ્ટિસ જે કે મહેશ્વરી પણ હશે. જોવાનું એ છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. ત્યારે સૌ કોઈ દેશવાસીઓની નજર આ નિર્ણય પર છે.
ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
નવેમ્બર 2025માં મંજૂર થયેલી વ્યાખ્યા અનુસાર આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિ સ્વરૂપને અરવલ્લી ગણવામાં આવશે અને જો આવા બે કે વધુ પર્વતીય ભાગો એકબીજાથી 500 મીટરની અંદર હોય તો તેને અરવલ્લી પર્વતમાળા માનવામાં આવશે. સરકાર માટે આ વ્યાખ્યા જૂની વ્યવસ્થાનું વિસ્તરણ છે, પરંતુ પર્યાવરણ નિષ્ણાતો માને છે કે, આ નિર્ણયથી અરવલ્લીનો મોટો ભાગ સંરક્ષણથી બહાર થઈ શકે છે.
વધુ વાંચો: આરતી સાંગાણી અને તબલા વાદક દેવાંગ ગોહેલની લવસ્ટોરી કેવી રીતે શરુ થઈ? જાણો આખી ઘટના
ADVERTISEMENT
અરવલ્લી કેમ એટલો મહત્વપૂર્ણ છે?
અરવલ્લી પર્વતમાળા થાર રણ અને ઉત્તર ભારત વચ્ચે એક કુદરતી અવરોધ તરીકે કાર્ય કરે છે. તે રણના વિસ્તરણને રોકે છે, ભૂગર્ભજળને સાચવે છે અને દિલ્હી–NCR સહિત ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે. જો અરવલ્લી નબળી પડે તો થાર રણ પૂર્વ તરફ વિસ્તરી શકે છે જેના કારણે રેતીના તોફાનો, પાણીની અછત અને પ્રદૂષણ વધવાની શક્યતા રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.