બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / sun will transit into cancer on 17 july luck will shine people of cancer and these 3 zodiac

સૂર્ય ગોચર / 6 દિવસ બાદ ગ્રહોના રાજાનું કર્ક રાશિમાં ગોચર: સૂર્યની જેમ ચમકી ઉઠશે આ 3 રાશિના જાતકોનું નસીબ, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 09:49 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય 17 જુલાઈના રોજ મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે. સૂર્ય બીજી રાશિમાં જતા પહેલા તમામ રાશિમાં 1 મહિના સુધી રહે છે.

  • તમામ ગ્રહોનું વિશેષ મહત્ત્વ
  • સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે
  • કેટલીક રાશિના જાતકોને લાભ થશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોનું વિશેષ મહત્ત્વ હોય છે. સૂર્યને આ તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, સૂર્ય રાશિ પરિવર્તમ કરે તો તેની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. સૂર્ય 17 જુલાઈના રોજ મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે. સૂર્ય બીજી રાશિમાં જતા પહેલા તમામ રાશિમાં 1 મહિના સુધી રહે છે. કર્ક રાશિમાં બુધાદિત્ય રાજયોગ પણ બનશે. આવો જાણીએ સૂર્ય ગોચરને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે. 

કન્યા- સૂર્ય અને બુધની યુતિના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગની કન્યા રાશિમાં શુભ અસર જોવા મળશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. અગાઉ જે રોકાણ કર્યું હશે, તેનાથી લાભ થશે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળશે. આવકમાં વધારો થવાનો યોગ છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. 

કર્ક- કર્ક રાશિમાં બુધાદિત્ય રાજયોગના નિર્માણને કારણે આ રાશિના જાતકોને લાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ભાગીદારીમાં કામ કરી રહ્યા છો, તો તેના સારા પરિણામ મળશે. ગોચરની અવધિ દરમિયાન જીવનસાથીની પ્રગતિ થશે. વૈવાહિક જીવનનની સમસ્યા દૂર થશે. 

મેષ- આ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ફળદાયી સાબિત થશે. સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. સ્થિર તથા અસ્થિર સંપત્તિની ખરીદી કરી શકો છો. પૈતૃક સંપત્તિના કારણે લાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલ વિદ્યાર્થીઓને લાભ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ